મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ડીટેઇન કરાયેલા વાહનોની હરરાજી કરાશે
મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા-નવરંગા માંડવાનું આયોજન
SHARE
મોરબીની ઢુચી સોનાગ્રાની વાડી ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા-નવરંગા માંડવાનું આયોજન
મોરબીના લીલાપર કેનાલ રોડે આવેલ ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે તા ૩૦ ને બુધવારના રોજ ચામુંડા માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં ઢુચી સોનાગ્રા પરિવારની વાડી ખાતે આગામી તા. ૩૦ ઓગસ્ટના રોજ સવારે ૭ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ રાખવામા આવેલ છે જેમાં યજ્ઞના આચાર્ય પદે દર્શનભાઈ પંડ્યા બીરાજશે. અને ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. તેમજ સાંજે ૬:૩૦ કલાકે નવરંગો માંડવાનું અને મહાપ્રસાદનું આયોજન કરેલ છે તેમજ રાતે નાનું માંડલું અને ડાક ડમરની રમઝટ બોલશે. જેમાં ગાયક કલાકાર હકુભાઈ માલણીયાત, સાગરભાઈ માલણીયાત, કિશનભાઈ માલણીયાત, વિશાલભાઈ માલણીયાત અને દિનેશભાઈ માલણીયાત જમાવટ કરશે