27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવવા સીએમને રજૂઆત


SHARE













મોરબીના કેનાલ રોડે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવવા સીએમને રજૂઆત

મોરબીનાં સરદાર પટેલ રોડથી બાયપાસ સુધીનો ઓવેરબ્રીજ મંજુર કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તે અતિજરૂરી છે જેથી કરીને હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવેને જોડતો જે રોડ આવેલ છે તે રોડ પર મોરબીમાં બનાવામાં આવેલ એસ.પી. રોડથી બાયપાસ સુધી દરરોજ સવારે તેમજ  સાંજે ટ્રાફિક થાય છે અને લોકોને પોતાના નિર્ધારિત  સ્થળે પહોચી શકતા નથી અને સમય તેમજ પેટ્રોલ અને ડિઝલનો બગાડ થાય છે જેથી કરીને સ્કુલે જતા આવતા બાળકો સહિતના તમામ લોકોના હિતને ધ્યાને રાખીને તેમજ બીમાર લોકોને સમયસર સારવાર માટે લઈ જઈ શ્કાત તે માટે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવું ખુબ જ જરૂરી છે જેથી કરીને મોરબી બાયપાસથી એસ.પી. રોડ સુધીનો ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરેલ છે જો કે, આ કામ ખરેખર ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News