મોરબીના જલારામ મંદિરે આ મહિને નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ નહીં યોજાઇ
વાંકાનેરના ખેડૂતોના પાક માટે મચ્છુ-૧ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાની કોંગ્રેસની માંગ
SHARE
વાંકાનેરના ખેડૂતોના પાક માટે મચ્છુ-૧ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવાની કોંગ્રેસની માંગ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ચાલુ વર્ષે વરસાદ ખેચાયો છે જેથી કરીને ખેડુતોનો પાક ઉપર સંકટ ઊભું થયું છે ત્યારે મચ્છુ -૧ ડેમમાંથી ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવામાં આવે તેવી વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકામાં ઓછા વરસાદના કારણે સ્થાનિક જળાશયો ભરાયેલ નથી અને ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને બચાવવા માટે સિચાઈના પાણીની જરૂર છે ત્યારે પાણી ન મળે તો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જેથી કરીને વહેલી તકે મચ્છુ-૧ ડેમની કેનાલ મારફતે સિંચાઇ માટેનું પાણી છોડાવવામાં આવે તેવી માંગ કરેલ છે ત્યારે સકિલભાઇ પીરજાદા, આબિદભાઈ ગઢવાળા સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા