માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની સેન્સ લેતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE













જામનગર જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની સેન્સ લેતા પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને પ્રદેશ ભાજપ દ્વારા જામનગર જિલ્લાની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના નવી ટર્મ માટેના પદાધિકારીઓની પસંદગી અંગેની પેનલના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાવામાં આવી છે જેથી કરીને તે આજે જામનગર ખાતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના સુનિશ્ચિત કરેલ આગેવાનોને મળીને આગામી ટીમ માટે પસંદ કરવાના હોદ્દેદારો અંગેની સેન્સ પ્રક્રિયામાં સામેલ થઈ જામનગર જિલ્લા સંકલન બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જામનગર જિલ્લા સંગઠન સંકલન બેઠકમાં તેઓ અપેક્ષિત આગેવાનો, ધારાસભ્યો, સંસદ સભ્ય અને રાજ્યમંત્રી સાથે પણ પરામર્શ કરશે. આમ, બ્રિજેશ મેરજા સતત લોકો વચ્ચે રહીને જીવંત જનસંપર્ક થકી લોક સેવાની નૈતિક ફરજ પૂરી નિષ્ઠા અને નમ્રતાથી નિભાવી રહ્યા છે. તેઓ પોતાના જન સંપર્ક કાર્યાલય તેમ જ પ્રસંગોપાત મોરબી તાલુકા મંડળ અને જિલ્લા ભાજપ કાર્યાલય માં ઉપસ્થિત રહીને પણ સંગઠન અને સેવાની કામગીરીમાં પણ જોડાયેલા રહે છે.






Latest News