મોરબીની ગાયત્રી સોસાયટી આયુર્વેદિક કેમ્પ યોજાયો
SHARE
મોરબીની ગાયત્રી સોસાયટી આયુર્વેદિક કેમ્પ યોજાયો
મોરબી ગાયત્રી સોસાયટી સોમેશ્વર મહાદેવ મંદિરમાં ભારત સરકાર આયુષ મંત્રાલય પ્રાયોજિત આયુર્વેદ કેમ્પનું પ્રેરક આયોજન કરવામાં આવેલ હતું .જેમાં મોરબી સરકારી સિવિલ હોસ્પિટલનાં આયુર્વેદા ચાર્ય વૈદ્ય ડો.ખ્યાતિબેન ઠકરાર અને ટીમ દ્વારા દર્દીઓનાં નિશુલ્ક નિદાન સારવાર આપવામાં આવી હતી આ તકે સોમેશ્વર મહાદેવ મંદિરનાં પૂજારી લાભુપ્રસાદ, મોરબી નગરપાલિકા પૂર્વ ચેરમેન દેવાભાઇ અવાડિયા સહિતના હાજર રહ્યા હતા આ કેમ્પમાં આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ,આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન કરી આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા સંબંધિત બિમારીને અનુરૂપ આયુર્વેદ દવાઓ વિના મૂલ્યે આપવામાં આવી હતી આ ઉપરાંત હરસ, મસા, શ્વાસ, એલર્જી, ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, પાચન સંબંધી તકલીફ તેમજ જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવેલ છે