મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ અને સાહિત્ય પ્રદર્શની યોજાઇ


SHARE













મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ અને સાહિત્ય પ્રદર્શની યોજાઇ

મોરબીમાં સરદારબાગ સામે શનાળા રોડ પર સુભાષચંદ્ર બોઝ ચોકમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ પ્રદર્શની, સાહિત્ય પ્રદર્શનીનું ખુબ જ સુંદર આયોજન થયું હતું  આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્રીય સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસિયા તેમજ સંસ્કૃત ભારતી મોરબીના વરિષ્ઠ કાર્યકર્તા  પ્રવીણભાઈ રાજાણી તેમજ ઉષાબેન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનીમાં ઘરની રોજબરોજની ચીજ વસ્તુઓ, વિદ્યાલયોની વસ્તુઓ,અલગઅલગ વ્યવસાયો, વ્યવસાયની વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, ભોજન સંબંધિત વસ્તુઓ, કપડાં આધારિત વસ્તુઓ, સામાન્ય વ્યવહારમાં લઈએ તેવી તમામ વસ્તુઓ આ સિવાય પણ ઘણી બધી લગભગ ૩૫૦-૪૦૦ જેટલી વસ્તુઓના નમૂના સાથે સંસ્કૃતમાં તેનું નામ લખેલ રાખવામાં આવ્યું હતું. આ માટે વિશેષરૂપે સરસ્વતી શીશુ મંદિર શનાળા તેમજ સાર્થક વિદ્યામંદિર દ્વારા  પ્રદર્શની-સાહિત્યની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. તેમજ સંસ્કૃત ભારતી મોરબીના કાર્યકર ભાઈઓ બહેનો ખુબ જ સારી વ્યવસ્થા પૂરી પાડી હતી. અને કોઈ પણ ભાઈ-બહેન સંસ્કૃત ભારતી મોરબી સાથે જોડાવા ઇચ્છતા હોય તો મો. ૯૮૨૫૬ ૩૩૧૫૪ ઉપર સંપર્ક કરવા સંસ્કૃત ભારતીના કિશોરભાઈ શુકલ, મયુરભાઈ શુકલ અને હિરેનભાઈએ જણાવ્યુ છે






Latest News