મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત વસ્તુ અને સાહિત્ય પ્રદર્શની યોજાઇ
મોરબી: શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૨ માં ભવ્ય શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન
SHARE
મોરબી: શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૨ માં ભવ્ય શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન
મોરબી જીલ્લાનું દિવ્ય તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર મુકામે, મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીજીના સાન્નિધ્યમાં, પૂજ્ય માઁ ની નિશ્રામાં, પવિત્ર શ્રાવણ માસમાં ૧૨ માં શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૪ થી તા.૧૧ સુધી પ્રતિરોજ સવારે ૯ થી ૧૨:૩૦ કલાક સુધી ચાલનારા આ સમારોહમાં સમગ્ર ભારત વર્ષના વિખ્યાત સાધુ સંતો, વિદ્વાન કથાકારો, વિચારકો, વિવિધ પ્રકારના ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો પર, પોતાના વિચારો પ્રસ્તુત કરશે અને ઉપસ્થિત શ્રોતાગણની જિજ્ઞાસા સંતોષશે. આ શ્રી સદગુરુ સારસ્વત સમારોહમાં પધારવા અને વિદ્વાન વકતાઓની વાણી પ્રસાદ સાથે સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા તેમજ શ્રી ખોખરા હનુમાન હરિહરધામના અનેકવિધ પ્રકલ્પો અને સેવા પ્રવૃત્તિઓ નિહાળવા સેવા સમિતિ, અંતરથી જાહેર આમંત્રણ પાઠવે છે.









