મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી: શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૨ માં ભવ્ય શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન


SHARE













મોરબી: શ્રી ખોખરા હનુમાન હરિહરધામ ખાતે ૧૨ માં ભવ્ય શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન

મોરબી જીલ્લાનું દિવ્ય તીર્થધામ શ્રી ખોખરા હનુમાન હરિહરધામ, બેલા-ભરતનગર મુકામે, મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરીજીના સાન્નિધ્યમાં, પૂજ્ય માઁ ની નિશ્રામાં, પવિત્ર શ્રાવણ માસમાં ૧૨ માં શ્રી સદગુરુ સારસ્વત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૪ થી તા.૧૧ સુધી પ્રતિરોજ સવારે ૯ થી ૧૨:૩૦  કલાક સુધી ચાલનારા આ સમારોહમાં સમગ્ર ભારત વર્ષના વિખ્યાત સાધુ સંતો, વિદ્વાન કથાકારો, વિચારકો, વિવિધ પ્રકારના ધાર્મિક અને આધ્યાત્મિક વિષયો પર, પોતાના વિચારો પ્રસ્તુત કરશે અને ઉપસ્થિત શ્રોતાગણની જિજ્ઞાસા સંતોષશે. આ શ્રી સદગુરુ સારસ્વત સમારોહમાં પધારવા અને વિદ્વાન વકતાઓની વાણી પ્રસાદ સાથે સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરવા તેમજ શ્રી ખોખરા હનુમાન હરિહરધામના અનેકવિધ પ્રકલ્પો અને સેવા પ્રવૃત્તિઓ નિહાળવા સેવા સમિતિ,  અંતરથી જાહેર આમંત્રણ પાઠવે છે.






Latest News