મોરબીમાં આવતીકાલે શિક્ષક દિવસ નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
SHARE
મોરબીમાં મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
મોરબીમાં મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો.જેમા ધોરણ-૫ થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવેલ.જેમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
ડો.મનસુરભાઈ હાજી ઇસ્માઇલભાઈ પીલુડિયા તેમજ પીએસઆઇ હાજી સલીમભાઈ હસનભાઈ હેરંજા વિગેરે મહાનુભાવોએ હાજરી આપી શિક્ષણ વિષે યુવાનોને માહિતગાર કર્યા હતા.તેમજ મનસુરી પીંજારા સમાજના પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયાને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાન આપી તેમનું સન્માન કરવામાં આવ્યુ હતુ.આ તકે પ્રમુખ દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામા આવ્યા હતા.રિલીફ કમિટીના દરેક સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજના આગેવાનોએ સાથે મળી વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવ્યો હતો.આ તકે આમંત્રિત મહેમાનો તેમજ તમામ આગેવાનો શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ તમામ દાતાઓની આભારવિધી રિલીફ કમિટીના સહકન્વીનર રાજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા કરવામાં આવી હતી.









