મોરબી જીલ્લામાં બાગાયતી ખેડૂતોને મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સહાય અપાશે
મોરબીની શાકમાર્કેટ પાછળ ખુલ્લી ગટરમાં વારંવાર ગૌવંશ પડતાં હોવાથી યોગ્ય કરવા વિહિપ-બજરંગ દળની રજુઆત
SHARE
મોરબીની શાકમાર્કેટ પાછળ ખુલ્લી ગટરમાં વારંવાર ગૌવંશ પડતાં હોવાથી યોગ્ય કરવા વિહિપ-બજરંગ દળની રજુઆત
મોરબીની શાકમાર્કેટ પાછળની લોહાણાપરાની છેલ્લી શેરીમાં લાખોના ખર્ચે રોડ બનાવ્યા બાદ વર્ષો પછી પણ ખુલ્લી ગટર યથાવત છે જેમાં છાશવારે ગૌવંશો સહિતના જનાવર પડી જતા હોય તેને લઈને મોરબીના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોગ્ય પગલાં લેવા માટે પાલીકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે.
વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળે મોરબી પાલીકાના જવાબદાર પદાધીકારી તેમજ અધીકારીને રજુઆત કરીને જણાવેલ છેકે શહેરના લોહાણાપરા વિસ્તાર શાક માર્કેટની પાછળના ભાગે એક ગટર ખુલ્લી હોય જેમાં અવાર નવાર ગૌવંશો પડી જાય છે.ભારત દેશની અંદર જયાં એકતરફ ગૌમાતાનું આપણે માતા માનીને પૂજન કરી રહ્યા છીએ તેમજ ગૌમાતા ઉપર કયારેય પણ કોઈ વિધર્મીઓ દ્રારા ગૌમાતા ઉપર હુમલો કે ગૌવંશોની જાનહાનિ કરવામાં આવતી હોય એવા સમયે વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળના સ્વયંમ સેવકો ગૌવંશ માટે જાનની પરવા કર્યા વગર ગૌમાતાને બચાવવા માટે કામ કરતા હોય ત્યારે મોરબીમાં આવું થતું હોય (ખુલ્લી ગટરમાં ગૌવંશનું પડી જવું તે કેટલા અંશે વાજબી છે.
આ બાબતને લઇને ગૌરક્ષકો તેમજ જીવદયા પ્રેમીઓની લાગણીને ઠેંસ પહોંચી રહી હોય યોગ્ય પગલા લેવા માંગ ઉઠી રહી છે. વધુમાં રજૂઆતમાં જણાવાયેલ છે કે હાલ જે રીતે મોરબીમાં આ રીતે વારંવાર ગૌવંશો ગટરમાં પડી જાય તે ધ્યાનનું ખુલ્લી ગટરની જગ્યાએ લોખંડની ગ્રીલ ફીટ કરવામાં આવે તેમજ ગટરની આજુબાજુમાં કચરાની પણ સાફ સફાઈ કરવામાં આવે તેમજ પુન: ત્યાં કચરો ફેંકે તેવા વેપારીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળે મોરબી પાલીકાના જવાબદાર પદાધીકારી તેમજ અધીકારીને લેખીત રજુઆત કરીને સત્વરે પગલા લેવા માંગ કરેલ છે.