મોરબી સહિત ગુજરાતમાં ઉમેદવારો- નોકરીદાતાઓ માટે “અનુબંધમ” વેબ પોર્ટલ બની આશીર્વાદ
વાંકાનેર ફાયરીંગ બટની પાસે રાહદારી-વાહનોની ૩૦મી નવેમ્બ૨ સુધી પ્રવેશ બંધી
SHARE
વાંકાનેર ફાયરીંગ બટની પાસે રાહદારી-વાહનોની ૩૦મી નવેમ્બ૨ સુધી પ્રવેશ બંધી
રાજકોટ પોલીસ કમિશ્નરરાજકોટ શહેરના તેઓના યુનિટના આર્મ્ડ/અન-આર્મ્ડ પોલીસ અધિકારી/કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ બટ ખાતે તા.૦૧/૧૦ થી તા.૩૦/૧૧ ના રોજ જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારીની રૂએ એન.કે. મુછાર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબીના આદેશ થી મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૦૧/૧૦ થી તા.૩૦/૧૧ ના રોજ જાહેર જનતાને પ્રવેશવું નહિં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીની યાદીમાં જણાવેલ છે.