મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર-ટંકારા તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત  જાહેર કરવા કોંગ્રેસની માંગ


SHARE















મોરબી જિલ્લાના વાંકાનેર-ટંકારા તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત  જાહેર કરવા કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર અને  ટંકારા તાલુકાના તેમજ અન્ય તાલુકામાં પણ વરસાદના આંકડા સરકારી ચોપડે નોંધાયેલ છે જેના આધારે મોરબી જિલ્લા કોંગેસ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૨૦ થી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની ખેડૂતોને પાકનો વીમો આપતી યોજના "પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના" નું પ્રીમિયમ ચૂકવવાનું બંધ કર્યું છે અને ગુજરાતમાં "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના" લાગુ કરી છે. જે ગુજરાતના તમામ ખેડૂતો માટેની યોજના છે. જેની ગાઇડલાઇન પ્રમાણે, જે તાલુકામાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે.

ગુજરાત સરકારની ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરિટીની વેબસાઈટ પ્રમાણે વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકામાં વરસાદ હતો નહીં અને વાંકાનેર તાલુકામાં તા. ૧/૮/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૩૫૭ મી.મી. નોંધાયેલો છે. અને તા. ૧/૯/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૩૫૭ મી.મી. નોંધાયેલો છે. જેથી વાંકાનેર તાલુકામાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધીના સમયગાળામાં પાછલા સતત ૨૮ દિવસો કરતા વધુ સમય સુધી વરસાદ નથી જે "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના" ની શરત પૂર્ણ કરે છે. જેથી તાલુકાને અસરગ્રસ્તની વ્યાખ્યામાં લેવામાં આવે અને સહાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે આવી જ રીતે ટંકારા તાલુકામાં તા. ૧/૮/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૫૧૨ મી.મી. નોંધાયેલો છે. અને તા. ૧/૯/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૫૧૨ મી.મી. નોંધાયેલો છે. આમ સતત ૨૮ દિવસો કરતા વધુ સમય સુધી વરસાદ થયો નથી તેમજ અન્ય તાલુકાઓમાં પણ આવીજ પરિસ્થિતિ છે. જેથી ખેડૂતોને સહાય આપવામાં આવે તે જરૂરી છે માટે મોરબીના કલેક્ટર નિયમ મુજબ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલે અને રાજ્ય સરકાર વાંકાનેર અને ટંકારા તેમજ જીલ્લાનાં અન્ય તાલુકાને "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના" હેઠળ અસરગ્રસ્ત જાહેર કરે તેવી માંગ કરેલ છે






Latest News