ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે: બી.કે. શિવાની દીદી


SHARE













જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે: બી.કે. શિવાની દીદી

વર્તમાન સમયમાં લોકો સતત કામ, ટેન્શનની વચ્ચે રહેતા હોય છે ત્યારે મનમાં એક અજંપા ભરી સ્થિતિ દરેકને રહેતી હોય છે જો કે, આવા સમયમાં પણ મન શાંત બને અને જીવન ખુશહાલ બને તેના માટે મોરબી તાલુકાનાં રાજપર રોડે આવેલા ફેશન સિરામિક ખાતે આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાખવામા આવ્યું હતું જેમાં આયોજકોએ કરેલી વ્યવસ્થા પણ ટૂકી પડી તેટલી વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ તકે બી.કે. શિવાની દીદીએ લોકોએ ટૂંકમાં પણ ચોટદાર મેસેજ આપતા કહ્યું હતું કે, જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે

છેલ્લા દિવસથી વરસાદ હતો જેથી કરીને આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડીમાં રાખવામા આવ્યું હતું તે કાર્યક્રમના સ્થળને બદલાવીને આ કાર્યક્રમ શનાળાથી રાજપર ગામ વચ્ચે રાજપર રોડ પર આવેલા ફેશન સિરામીક ખાતે રાખવામા આવ્યો હતો અને તેમાં ન માત્ર મોરબી પરંતુ બહારથી પણ મોટી સંખ્યામાં લોકોએ આવ્યા હતા જેથી કરીને આયોજકોએ આંતરરાષ્ટ્રીય રાજયોગ શિક્ષિકા બી.કે. શિવાની દીદીનું વક્તવ્ય સાંભળવા માટે આવનારા લોકો માટે જે બેઠક વ્યવસ્થા સહિતનું આયોજન કર્યું હતું તે ટુકું પડ્યું હતું એટલી વિશાળ સંખ્યામાં લોકો બી.કે. શિવાની દીદીને સાંભળવા માટે આવ્યા હતા

આ તકે આંતરરાષ્ટ્રીય વક્તા બી.કે. શિવાની દીદીએ શાંત મનખુશહાલ જીવન વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપ્યું હતું ત્યારે કહ્યું હતું કે, કોઈપણ ક્ષમ આપવાની અને કોઇની પણ ક્ષમા માંગી લેવી તે જીવનમાં જરૂરી છે ખાસ કરીને ભગવાને આપણી અંદર જ સર્વ શક્તિ આપેલ છે તો પણ લોકો બીજા ઉપર આશા રાખીને બેઠા હોય છે ત્યારે દરેક વ્યક્તિએ હું પવિત્ર આત્મા છું, હું શાંત સ્વરૂપ આત્મા છું, હું શક્તિશાળી આત્મા છું, હું પ્રેમ સ્વરૂપ આત્મા છું, હું સુખ સ્વરૂપ આત્મા છું અને હું સતોગુણ આત્મા છું આ રોજ બોલવું જોઈએ તેનાથી જીવનમાં ખૂબ જ પરીવર્તન આવશે અને અંતમાં તેઓએ કહ્યું હતું કે, જો મન, અન્ન, તન અને ધન શુદ્ધ હશે તો આપો આપ દરેક વ્યક્તિનું જીવન ખુશહાલ બની જશે






Latest News