મોરબીના બાયપાસ રોડે શિવગંગા એપાર્ટમેંટમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર સરતાનપર રોડે અંતિમ પગલું ભર્યું
મોરબી જિલ્લો તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં તૃતીય નંબર
SHARE
મોરબી જિલ્લો તરણેતર લોકમેળામાં પશુ પ્રદર્શન હરીફાઈમાં તૃતીય નંબર
મોરબી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ગીર ગાયમાં વોડકી વિભાગમાંથી બંધુનગરના ત્રિગુણભાઈ નાગજીભાઈ કૈલાની 'ક્રિષ્ના' નામની ૨૧ મહિનાની વાછડીને મોકલી હતી.જેને ગુજરાત રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા તૃતીય નંબર મળેલ છે.ઉલ્લેખનીય છે કે ત્રિગુણભાઈ ઘણા સમયથી ગીર ગાયના સંવર્ધન માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે.ત્યારે તેમની જ 'ક્રિષ્ના' નામની વાછડી લાખણીયા નામના ઉત્તમ ગીર ખૂંટથી કુત્રિમ બીજદાન કરાવીને એક ઉત્તમ ગીર નશલ પેદા કરી પશુપાલકોને એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.