મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ કોર્ટે દિવાની દાવો અંસતઃ મંજુર કર્યો


SHARE















મોરબીની સિવિલ કોર્ટે દિવાની દાવો અંસતઃ મંજુર કર્યો

મોરબીની સિવિલ કોર્ટમાં મોરબીમાં રહેતી દીકરીએ તેમનો હિસ્સો અલગ કરી આપવા તથા ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા માટે રેગયુલર દિવાની દાવો કર્યો હતો જે વાદીનો દાવો અંસતઃ મંજુર કરતો કોર્ટે હુકમ કરેલ છે

આ કેસની હકીકત એવી છે કે, વાદી લક્ષ્મીબેન અમરશીભાઇ ડોસુભાઇ રહે. હદાણીની વાડી વાવડી રોડ મોરબી વાળાએ તેમના પિતા સ્વ.અમરશીભાઇ ડોસુભાઇ કંઝારીયા વિગેરે પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં રેગયુલર દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૧ દાખલ કરી હતી અને મોરબી તાલુકાના માધાપર ગામની રેવન્યુ સર્વે નં.૩૦ પૈકી-૪ની ખેડવાણ જમીન વડીલો પાર્જીત હોય તેમાથી તેમનો હિસ્સો અલગ કરી આપવા તથા ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા મોરબીની કોર્ટમાં રેગ્યુલર દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૧ દાખલ કરેલ હતી આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદીની જુબાની, વાદીએ રજુ રાખેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓના પુરાવાઓ ધ્યાને લઇ વાદીના વકીલ બી.બી. હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખી છે અને વાદીનો દાવો અંસતઃ મંજુર કરતો હુકમ કરેલ છે આ કેસમાં મોરબીના સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News