મોરબીની સિવિલ કોર્ટે દિવાની દાવો અંસતઃ મંજુર કર્યો
SHARE
મોરબીની સિવિલ કોર્ટે દિવાની દાવો અંસતઃ મંજુર કર્યો
મોરબીની સિવિલ કોર્ટમાં મોરબીમાં રહેતી દીકરીએ તેમનો હિસ્સો અલગ કરી આપવા તથા ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા માટે રેગયુલર દિવાની દાવો કર્યો હતો જે વાદીનો દાવો અંસતઃ મંજુર કરતો કોર્ટે હુકમ કરેલ છે
આ કેસની હકીકત એવી છે કે, વાદી લક્ષ્મીબેન અમરશીભાઇ ડોસુભાઇ રહે. હદાણીની વાડી વાવડી રોડ મોરબી વાળાએ તેમના પિતા સ્વ.અમરશીભાઇ ડોસુભાઇ કંઝારીયા વિગેરે પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં રેગયુલર દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૧ દાખલ કરી હતી અને મોરબી તાલુકાના માધાપર ગામની રેવન્યુ સર્વે નં.૩૦ પૈકી-૪ની ખેડવાણ જમીન વડીલો પાર્જીત હોય તેમાથી તેમનો હિસ્સો અલગ કરી આપવા તથા ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા મોરબીની કોર્ટમાં રેગ્યુલર દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૧ દાખલ કરેલ હતી આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે વાદીની જુબાની, વાદીએ રજુ રાખેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓના પુરાવાઓ ધ્યાને લઇ વાદીના વકીલ બી.બી. હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખી છે અને વાદીનો દાવો અંસતઃ મંજુર કરતો હુકમ કરેલ છે આ કેસમાં મોરબીના સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.