મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના આમરણ રોડે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE















મોરબીના આમરણ રોડે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી તાલુકાના આમરણથી બગથળા ગામ તરફ આવવાના રસ્તા ઉપર આવેલ ગોળાઈ પાસે અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં બાઈક ઉપર જઈ રહેલા પિતા પુત્રને ઇજા થઈ હતી જેમાં યુવાનને માથાના ભાગે હેમરાજ જેવી ઈજા થઈ હોવાથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક દીકરા સામે તેના પિતાની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે શક્તિધામ સોસાયટીમાં હાલ રહેતા મૂળ આમરણના રહેવાસી ગોરાભાઈ અમરાભાઇ પરમાર જાતે અનુ. જાતિ (૬૬)એ તેના મૃતક દીકરા ઉમેશ ગોરાભાઇ પરમાર જાતે અનુ. જાતી (૨૬)ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે આમરણથી બગથળા ગામ તરફ જવાના રસ્તા ઉપર ગોળાઈમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇક ચલાવતા તેના દીકરાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તેને હેમરેજ થઈ ગયુ હતું જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જ્યાં ચાલુ સારવારે તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવમાં પોલીસે મૃતકના પિતાની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News