વાંકાનેરના વિનયગઢમાં ઘર પાસે ઝેરી જનાવર કરડી જતાં બાળકીનું મોત
SHARE
વાંકાનેરના વિનયગઢમાં ઘર પાસે ઝેરી જનાવર કરડી જતાં બાળકીનું મોત
વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા પરિવારનીની દીકરી તેના ઘર પાસે રમતી હતી ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને અસર થઈ હોવાથી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટરે તે દીકરીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધા કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભાવેશભાઈ મકવાણાની ૧૩ વર્ષની દીકરી કિંજલબેન પોતાના ઘર પાસે રમી રહી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર તેને કરડી ગયું હતું જેથી કરીને ઝેરી અસર થતાં તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા તેને જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવ નોંધા કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના વાવડી ગામ પાસે આવેલ સંત કબીર સોસાયટીમાં સંજુબા સ્કૂલ પાસે રહેતા અગ્રાવત જય બજરંગદાસ (૧૯) નામના યુવાનને નાયરાના પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે