મોરબીમાં કારખાનાઓ બંધ હોય પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો મોરબી: દવા પી ગયેલી સગીરાનું સારવાર દરમિયાન મોત મોરબીના મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ મોરબી તેમજ હળવદમાં આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે નિ:શુલ્ક કેમ્પ યોજતુ વિશ્વ હિન્દુ પરિષદ મોરબીની ઓમશાંતિ વિદ્યાલય ખાતે તાત્યા ટોપે, અનંત લક્ષ્મણ કન્હરે તથા ચાફેકર બંધુની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ મોરબીમાં કોટેચા પરિવાર અને લાયન્સ ક્લબ દ્વારા છેલ્લા ૪ વર્ષથી અન્નદાનનો સેવા યજ્ઞ મોરબી વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો સાથે હતા, છે અને રહેશે: જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટ
Breaking news
Morbi Today

વાંકાનેરના ગાંગીયાવદર ગામનો યુવાન પરણીતા સાથે છનન..!


SHARE













વાંકાનેરના ગાંગીયાવદર ગામનો યુવાન પરણીતા સાથે છનન..!
 
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા ગાંગીયાવદર ગામે રહેતા જેસાભાઈ ધરમશીભાઈ ધરજીયા જાતે કોળી (ઉંમર ૫૬) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓના નાના ભાઈ રમેશભાઈ ધરમશીભાઈ ધરજીયા જાતે કોળી (ઉમર ૨૫) રહે.ગાંગીયાવદર વાળા પોતાના ઘરેથી ગત તારીખ ૨૧-૮ ના રોજથી ગુમ થયો હોવા અંગેની જાણ કરેલ છે.જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓના ભાઈ રમેશભાઈ કોઈને કશું કહ્યા વગર પોતાના ઘરેથી કયાંક ચાલ્યા ગયા છે અને તેમની શોધખોળ કરવા છતા કોઇ જગ્યાએથી પત્તો લાગેલ નથી જેથી કરીને પોલીસે યુવાન ગુમ થયો હોવા અંગેની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
 
બનાવ સંદર્ભે તપાસ અધિકારી હકાભાઇ ચૌહાણ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, ગાંગીયાવદર ગામની જ રહેવાસી અને હાલ વાંકાનેરના સેખરડી ગામે પરણાવેલ સુખુબેન રસાભાઇ ડાભી જાતે કોળી નામની પરિણીતા રક્ષાબંધન કરવા માટે માવતરને ત્યાં ગાંગીયાવદર ગામે આવી હતી તે દરમિયાનમાં સુખુબેન નામની પરણીતા અને ગુમ થયેલા રમેશભાઇ ધરમશીભાઈ ધરજીયા જાતે કોળી (ઉમર ૨૫) કેજે અપરણીત છે બંનેની આંખ મળી ગઈ હવે અને તેથી યુવાન પરિણીતા સુખુબેનને સાથે લઇને ભાગી ગયો હોવાની માહિતી મળી છે કે અને આગળની તપાસ ચાલુ છે.
 
વાહન અકસ્માતમાં ઈજા
 
મોરબીના સામાકાંઠે આવેલા પાવનપાર્ક વિસ્તારમાં રહેતો ધર્મ રાજેશભાઈ બાયડ નામનો ૨૪ વર્ષીય યુવાન બાઇક લઇને મોરબીના વાંકાનેર હાઇવે ઉપરથી જતો હતો ત્યાં લાલપર ગામ પાસે આવેલી બાપા સીતારામ મઢુલી નજીક તેના બાઇકને અકસ્માત નડતા ઈજાગ્રસ્ત થયેલા ધર્મને અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના શનાળા રોડ ઉપર આવેલી રામેશ્વર સોસાયટીમાં રહેતી સ્નેહલબેન અજયભાઈ મીરાણી નામની ૧૬ વર્ષીય યુવતી રોડ ક્રોસ કરી રહી હતી ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેણીને હડફેટે લેતા ઇજાગ્રસ્ત સ્નેહલબેમને અહીંની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.





Latest News