મોરબીની પાવડયારી કેનાલ પાસે શાકમાર્કેટ નજીકથી બાઈકની ચોરી
SHARE
મોરબીની પાવડયારી કેનાલ પાસે શાકમાર્કેટ નજીકથી બાઈકની ચોરી
મોરબીના જેતપર રોડ ઉપર શાપર ગામની સીમમાં પાવડયારી કેનાલ પાસે આવેલ શાકમાર્કેટ નજીક યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યુ હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં આવેલા સોનો સેનેટરી કારખાનામાં કામ કરતા અને ત્યાં લેબર કવાર્ટરમાં રહેતા ચંદનકુમાર અર્જુનસિંહ કુસવાહ જાત જાતે (૩૦) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એ ૯૧૨૩ લઈને શાપર ગામની સીમમાં પાવડયારી કેનાલ પાસે આવેલ શાકમાર્કેટ ખાતે ગયા હતા ત્યારે ત્યાં તેણે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની યુવાને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.જી. જેઠવા અને તેની ટીમ ચલાવી રહી છે









