ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં વૃદ્ધનું મોત


SHARE













મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં વૃદ્ધનું મોત

રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં એકટીવા લઈને જતા વૃદ્ધ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ જતી કારના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતમાં વૃદ્ધને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું મોત નીપજયું હતું જેની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરીપર ભુતકોટડા ગામના વતની અને જમીન વિકાસ બેંકના નિવૃત્ત કર્મચારી પરસોતમભાઈ ઉમિયાશંકરભાઈ દવે (૮૯) રહે. હરીપર ભુતકોટડા વાળા તા. ૧૧ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક આવેલા એચપીના પેટ્રોલ પંપ પાસેથી જતા હતા અને ત્યારે તેઓના એકટીવાને કારના ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ઇજા થયેલ હતી જેથી તેને મોરબી ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડાએ કરી હતી અને આ બનાવ ટંકારા પોલીસની હદનો હોવાની ત્યાં જાણ કરવામાં આવશે 






Latest News