આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારા નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવા છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું


SHARE













ટંકારા નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવા છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું

ભારતીય ખેતી હવે પરંપરાગત ખેતીમાંથી આધુનિક ખેતી તરફ આગળ વધતી જાય છે. જેનું આગવું ઉદાહરણ છે ખેત સામગ્રીમાં આધુનિક ખેત સાધનોના ઉપયોગથી ટેક્નોલોજી આધારીત ખેતી. હાલ ભારતના ખેડૂતોએ ખેતીમાં આધુનિકરણ સ્વીકાર્યું છે અને સરકાર પણ આ માટે ખેડૂતોને અવાર-નવાર તાલીમ આપી તેને માર્ગદર્શનની સાથે સહાય પણ આપે છે તેમજ ખેડૂતો પાસેથી અભિપ્રાય પણ લે છે. ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી અને કૃષિ ઇજનેરી કોલેજ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાના નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા કપાસ અને મરચીના પાકમાં જીવાત નિયંત્રણ માટે જંતુનાશક દવા બિવેરિયાના છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજુ-બાજુના ગામના મળીને ૫૦ જેટલા ખેડૂત મિત્રોએ ભાગ લીધો હતો. આ નિદર્શનમાં ડ્રોન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપી મિત્રો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો જેથી આ ડ્રોન ટેકનોલોજીમાં ખેડૂતની જરૂરિયાત મુજબના સુધારા વધારા કરી વ્યહવારું બનાવી શકાય. આ નિદર્શનમં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું






Latest News