મોરબીના નવલખી રોડે યોગી વિદ્યાલય સામે ટ્રેન હડફેટે ચડી ગયેલા વૃદ્ધનું મોત
મોરબીમાં પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામા નિર્દોષ છુટકારો
SHARE
મોરબીમાં પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામા નિર્દોષ છુટકારો
હળવદ તાલુકાના એક ગામના ફરિયાદીની સગીરવયની પુત્રીનું લગ્ન કરવાના ઈરાદે તા.૧૭-૩-૨૦૧૬ ના રોજ આરોપી કમલેશભાઈ રાણાભાઈ પરમાર રહે.મુ ગામ જીવાપર તાલુકો ધ્રાંગધ્રા વાળાએ અપહરણ કરી જુદી જુદી જગ્યાઓએ લઈ જઈ સગીરા સાથે દરેક જગ્યાએ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરવાનો આક્ષેપ થતાં આરોપી સામે હળવદ તાલુકા પોલીસે કમલ ૩૬૩, ૩૬૬, ૩૭૬ તથા પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
આ બાબત મોરબી બી ડીવીઝનમાં વર્ષ ૨૦૧૬ માં ગુનો દાખલ થયો હતો અને આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો જણાતા તપાસ અધિકારીએ ચાજૅશીટ મોરબી મહે. સ્પે. પોકસો કોર્ટોમાં રજુ કરતા આરોપી સામે સ્પે.પોકસો કેસ કેસ દાખલ થયેલ હતો. આ કેશ મોરબીના સ્પે.પોકસો કોર્ટના જજ શ્રી ડી.પી. મહીડાની કોર્ટમાં ચાલી ગયો હતો ત્યારે સરકારી વકીલ અને આરોપીના વકીલની દલીલો સાંભળી અને તમામ પુરાવાઓ ધ્યાનમા લઈને અરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો અને આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા









