મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો
Breaking news
Morbi Today

મોરબીમાં પોકસો, અપહરણ અને બળાત્કારના ગુનામા નિર્દોષ છુટકારો 


SHARE













મોરબીમાં પોકસોઅપહરણ અને બળાત્કારના ગુનામા નિર્દોષ છુટકારો 

હળવદ તાલુકાના એક ગામના ફરિયાદીની સગીરવયની પુત્રીનું લગ્ન કરવાના ઈરાદે તા.૧૭-૩-૨૦૧૬ ના રોજ આરોપી કમલેશભાઈ રાણાભાઈ પરમાર રહે.મુ ગામ જીવાપર તાલુકો ધ્રાંગધ્રા વાળાએ અપહરણ કરી જુદી જુદી જગ્યાઓએ લઈ જઈ સગીરા સાથે દરેક જગ્યાએ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરવાનો આક્ષેપ થતાં આરોપી સામે હળવદ તાલુકા પોલીસે કમલ ૩૬૩૩૬૬૩૭૬ તથા પોકસોની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

આ બાબત મોરબી બી ડીવીઝનમાં વર્ષ ૨૦૧૬ માં ગુનો દાખલ થયો હતો અને આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો જણાતા તપાસ અધિકારીએ ચાજૅશીટ મોરબી મહે. સ્પે. પોકસો કોર્ટોમાં રજુ કરતા આરોપી સામે સ્પે.પોકસો કેસ કેસ દાખલ થયેલ હતો. આ કેશ મોરબીના સ્પે.પોકસો કોર્ટના જજ શ્રી ડી.પી. મહીડાની કોર્ટમાં  ચાલી ગયો હતો ત્યારે સરકારી વકીલ અને આરોપીના વકીલની દલીલો સાંભળી અને તમામ પુરાવાઓ ધ્યાનમા લઈને અરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો અને આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા






Latest News