મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજે રાતે રાસોત્સવ: શક્તિધામ નવરાત્રી તિલક ફરજીયાત 


SHARE







મોરબી જૈન જાગૃતિ લેડીઝ વિંગ દ્વારા આજે રાતે રાસોત્સવ: શક્તિધામ નવરાત્રી તિલક ફરજીયાત 

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા આજે તા ૧૪ ને શનિવારના રોજ રાસોત્સવ-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે મોરબીમાં રહેતા સમસ્ત જૈન સમાજના બહેનો અને બાળકો માટે રાસોત્સવ-૨૦૨૩ નું આયોજન કરેલ છે અને આજે બપોરે ૩:૦૦ વાગ્યાથી રસોત્સવ શરૂ થશે. અને રાસોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક ખેલાડીને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે અને રાસોત્સવના સ્થળે વિવિધ જૈન વાનગીના ફુડ સ્ટોલ પણ રાખવામા આવ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગના ખ્યાતિબેન શેઠનીતાબેન દોશીપ્રિયલ મહેતા અને દીનાબેન સુતરીયા દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે

શક્તિધામ નવરાત્રી મહોત્સવ

મોરબીમાં સતવારા મિત્ર મંડળ દ્વારા સતવારા સમાજ માટે શ્રી શક્તિધામ નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ નું ભવ્ય આયોજન કરાયું છે જેમાં નવરાત્રી દરમિયાન સતવારા સમાજ  માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવેલ છે તેમજ નવરાત્રી દરમિયાન તમામ લોકોને તિલક કરીને અને આઈડી પ્રૂફ ચેક કરીને મેદાનમાં એન્ટ્રી આપવામાં આવશે તેમજ શ્રી શક્તિધામ નવરાત્રી મહોત્સવમાં એક પણ હિન્દી સોંગ ગાવામાં નહીં આવે અને પ્રાચીન  ગરબાની રમઝટ બોલાવવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News