ટંકારાના જીવાપર રોડે મળેલ પૈસા-ડૉક્યુમેન્ટ ભરેલ પર્સ મુળ માલિકને પરત કર્યુ
મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે કાલથી ભાગવત સપ્તાહ શરૂ
SHARE
મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે કાલથી ભાગવત સપ્તાહ શરૂ
મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે આગામી તા.૨૪ થી ૩૦ ઓક્ટોબર સુધી મોરબીના સમાજ સેવકો દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં જણાવ્યુ હતું કે આ કથાનું રસપાન રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી તેની આગવી શૈલીમાં કરાવશે
મોરબીના જગદીશભાઈ બાંભણીયા, રાજુભાઈ દવે અને અજયભાઇ વાઘાણી તેમજ દિવંગત આત્માઓના પરિવારજનોની હાજરીમાં કથા સ્થળે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગત આત્માઓના મોક્ષાર્થે ઝૂલતા પૂલ પાસે જ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત જ્ઞાનયજ્ઞમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીદેવીના શિષ્ય રત્નેશ્વરીદેવી કથાનું રસપાન કરાવશે. અને આ કથાની પોથીયાત્રા તા ૨૪ ના રોજ બપોરે બે વાગ્યે અગ્નેશ્વર મહાદેવ મંદિરથી નીકળશે અને દરરોજ બપોરે ૩ થી ૬ સુધી કથા ચાલશે અને કથામાં દરેક ધાર્મિક પ્રસંગ ધામધુમથી ઉજવાશે જેથી લોકોને આ કથાનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે









