મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના દિવંગતોના મોક્ષાર્થે કાલથી ભાગવત સપ્તાહ શરૂ
મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી અરજદારો-વકીલો હેરાન
SHARE
મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટના ધાંધીયાથી અરજદારો-વકીલો હેરાન
મોરબીમાં આવેલ સબ રજીસ્ટ્રાર કચેરીમાં વારંવાર નેટના ધાંધીયા હોય છે જેથી કરીને વકીલો અને અરજદારોને હેરાન થવું પડે છે અને કલાકો સુધી લાઇનમાં ઊભા રહે તો પણ દસ્તાવેજ થતાં નથી અને અગાઉ પણ આવી જ હેરાન ગતિ હતી તો પણ તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી જેથી કરીને દસ્તાવેજ માટે આવેલા અરજદારો સહિતનામાં રોષની લાગણી હતી
અગાઉ મોરબી રેવન્યુ બાર એસોશિએશનના પ્રમુખની આગેવાનીમાં જિલ્લા જીસ્વાન કચેરીના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં નેટવર્કના ધાંધીયા છે જેના કારણે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો તેમજ વકીલોને હેરાન થવું પડે છે અને દસ્તાવેજની કામગીરી થતી નથી આવી જ રીતે સોમવારે મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ માટે ૫૦ થી વધુ લોકોને ઓનલાઈન ટોકન આપવામાં આવ્યા હતા જો કે, દસ્તાવેજ માટે આવેલા લોકોના દસ્તાવેજ થતાં ન હતા જેથી કરીને લોકોના રોષની લાગણી હતી અને અધિકારીને પૂછાતા અધિકારીએ જણાવ્યુ હતું કે, સર્વર ડાઉન હોવાથી દસ્તાવેજની કામગીરી ધીમીગતીએ થઈ રહી છે જો કે, મોરબીની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની નોંધણી માટે વારંવાર થતાં ધાંધીયા કાયમી ધોરણે કયારે દૂર કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે









