મોરબીની કોર્ટમાં ચાલી ગયેલા જુદાજુદા બે ચેક રિટર્નના કેસ આરોપીઓને દંડ-સજા ફટકારતી કોર્ટ
મોરબી પરશુરામ યુવા ગ્રુપ, વિહિપ, બજરંગ દળ, દુર્ગા વાહિની દ્વારા ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન
SHARE
મોરબી પરશુરામ યુવા ગ્રુપ, વિહિપ, બજરંગ દળ, દુર્ગા વાહિની દ્વારા ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન
મોરબી પરશુરામ યુવા ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા મોરબીના ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર સાથે શાસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શાસ્ત્રોક્ત વિધિ આચાર્ય રોહિતભાઈ પંડ્યા દ્વારા કરાવવામાં આવી હતી આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિનીના ક્ષેત્રીય પ્રમુખ તેમજ વીટીએસએસના રાષ્ટ્રીય મહામંત્રી ડો. યજ્ઞાબેન જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલના સમયમાં શસ્ત્ર સાથે શાસ્ત્ર ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં આ શસ્ત્રની ધાર કાઢવાની સાથે સાથે જરૂર પડે તેનો ઉપયોગ પણ કરવો અનિવાર્ય છે આ તકે મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા, ઉપપ્રમુખ મહિધરભાઈ દવે કમલભાઈ દવે અને ઋષિભાઈ મહેતા હજાર રહ્યા હતા તેમજ ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ અને પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા, મોરબી સમસ્ત જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી ચિંતનભાઈ પંડ્યા અને નીરજભાઈ ભટ્ટ, ગાયત્રી મંદિર ટ્રસ્ટના જગદીશભાઈ ઓઝા, બ્રહ્મ સ અમાજ મહિલા પાંખના પ્રમુખ ચેતનાબેન જોશી, વિશ્વ હિન્દુ પરિષદના મોરબી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, બજરંગ દળના વિભાગ સંયોજક કમલભાઈ દવે, બજરંગ દળ મોરબી જિલ્લા સંયોજક નિલેશભાઈ જાકાસનિયા, દુર્ગા વાહિની મોરબી જિલ્લા સંયોજીકા આરતીબેન પટેલ, મોરબી જિલ્લા સામાજીક સમરસતા પ્રમુખ હસુભાઈ પંડ્યા સહિતના હાજર રહ્યા હતા