મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ યુવા ગ્રુપ, વિહિપ, બજરંગ દળ, દુર્ગા વાહિની દ્વારા ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન


SHARE







મોરબી પરશુરામ યુવા ગ્રુપ, વિહિપ, બજરંગ દળ, દુર્ગા વાહિની દ્વારા ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજન

મોરબી પરશુરામ યુવા ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહિની બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા મોરબીના ગાયત્રી મંદિર ખાતે શસ્ત્ર સાથે શાસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શાસ્ત્રોક્ત વિધિ આચાર્ય રોહિતભાઈ પંડ્યા દ્વારા કરાવવામાં આવી હતી આ તકે વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિનીના ક્ષેત્રીય પ્રમુખ તેમજ વીટીએસએસના રાષ્ટ્રીય મહામંત્રી ડો. યજ્ઞાબેન જોશી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ જણાવ્યું હતું કે હાલના સમયમાં શસ્ત્ર સાથે શાસ્ત્ર ખૂબ જ જરૂરી છે એટલું જ નહીં આ શસ્ત્રની ધાર કાઢવાની સાથે સાથે જરૂર પડે તેનો ઉપયોગ પણ કરવો અનિવાર્ય છે આ તકે મોરબી પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોશી, મહામંત્રી નયનભાઈ પંડ્યા, ઉપપ્રમુખ મહિધરભાઈ દવે કમલભાઈ દવે અને ઋષિભાઈ મહેતા હજાર રહ્યા હતા તેમજ ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ પ્રમુખ અને પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભૂપતભાઇ પંડ્યા, મોરબી સમસ્ત જિલ્લા બ્રહ્મ સમાજના મહામંત્રી ચિંતનભાઈ પંડ્યા અને નીરજભાઈ ભટ્ટ, ગાયત્રી મંદિર ટ્રસ્ટના જગદીશભાઈ ઓઝા, બ્રહ્મ સ અમાજ મહિલા પાંખના પ્રમુખ ચેતનાબેન જોશી, વિશ્વ હિન્દુ પરિષદના મોરબી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણી, બજરંગ દળના વિભાગ સંયોજક કમલભાઈ દવે, બજરંગ દળ મોરબી જિલ્લા સંયોજક નિલેશભાઈ જાકાસનિયા, દુર્ગા વાહિની મોરબી જિલ્લા સંયોજીકા આરતીબેન પટેલ, મોરબી જિલ્લા સામાજીક સમરસતા પ્રમુખ હસુભાઈ પંડ્યા સહિતના હાજર રહ્યા હતા






Latest News