મોરબીમાં મંદિર ઉપર પથ્થર મારો કરનારા મુસ્લિમ શખ્સે જાહેરમાં ભગવાનની માફી માંગી: ગુનો નોંધાયો
ટંકારા સિવીલ હોસ્પિટલમાં બિપિનચંદ્ર દેવમુરારી વિદાય સમારોહ યોજાયો
SHARE
ટંકારા સિવીલ હોસ્પિટલમાં બિપિનચંદ્ર દેવમુરારી વિદાય સમારોહ યોજાયો
ટંકારા સિવીલ હોસ્પિટલમાં જતાંજ મંદમંદ હાસ્ય સાથે દર્દથી પીડાતા અકસ્માતમાં ધાયલ કે કાયમી ડ્રેસિંગ રૂમમાં પાટા પિંડી કરવા આવતા ગુરૂને ન ઓળખે એવુ ન બને અને આ હુલામણા નામથી ઓળખાતા બીપીનચંદ્ર દેવમુરારી ટંકારા સરકારી હોસ્પિટલમાં વય મર્યાદા પુર્ણ થતા સ્ટાફે જાજરમાન વિદાયમાન આપ્યો હતો. અને બિપીન દાદાએ રાજકોટ મોરબી રોડ પર અકસ્માતે ધાયલ થયેલા અસંખ્ય લોકોને ઈમર્જન્સી પાટા બાંધી તાકીદે સારવાર આપી છે જેનો એમણે સંતોષ વ્યક્ત કર્યો હતો આ તકે અહીના અધ્યક્ષ ડો. દિપ ચિખલિયા, ડો. વી.બી. ચિખલિયા, ડો વિ.એમ. પારેખ, ડો. નિસંગ પડસુબિયા, સ્ટાફના જીતેન્દ્રસિંહ ગોહીલ, એન.ડી. ગોધાણી, મૌલિક દેવમુરારી સહિતના સ્ટાફ ઉપરાંત જગુભાઈ કુબાવત, શશીઅદા આચાર્ય, ભુદરભાઈ પટેલ, હસુભાઈ દુબરીયા, ભુપતભાઈ અગ્રાવત, રણધીરસિહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને શેષ જીવન તંદુરસ્ત શરીર સાથે પ્રસાર કરેની શુભેચ્છા પાઠવી હતી.









