મોરબીની હરિગુણ સોસાયટીમાંથી કારખાને જવા કહીને નીકળેલ યુવાન ગુમ
SHARE
મોરબીની હરિગુણ સોસાયટીમાંથી કારખાને જવા કહીને નીકળેલ યુવાન ગુમ
મોરબીના મહેન્દ્રનગર ગામથી જેતપર તરફ જવાના રસ્તા ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં રહેતો યુવાન ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યો હતો ત્યાર બાદ તે યુવાન ગુમ થઈ ગયેલ છે જેથી કરીને આ અંગે ગુમ થયેલા યુવાનના પિતાએ ગુમસુધા ફરિયાદ નોંધાવતા પોલીસે તેની નોંધ કરી ગુમ થયેલા યુવાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટમાં આવેલ અંબિકા સોસાયટીમાં રહેતા દિલીપભાઈ હરજીભાઈ ધરસંડીયા જાતે પટેલ (૬૩)એ હાલમાં તેનો દીકરો આનંદ દિલીપભાઈ ધરસંડીયા જાતે પટેલ (૨૮) રહે. હરિ ગુણ સોસાયટી હાઈટસ-એ બ્લોક નંબર ૬૦૨ મોરબી વાળો ગુમ થયો હોવા અંગેની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, ગત તા. ૨૯/૧૦ ના રોજ સવારના પોણા આઠેક વાગ્યા અરશામા પોતાના ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે પરત આવેલ નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવાનના પિતાએ નોંધાવેલ ગુમ સુધા ફરિયાદ આધારે પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવાનને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.ડી. મેતા ચલાવી રહ્યા છે
મહિલા મળી આવી
મોરબીમાં નજરબાગ પાસે આવેલ બૌદ્ધ નગર સોસાયટીમાં રહેતા દેવજીભાઈ કરસનભાઈ મુછડીયા જાતે અનુ. જાતિ (૩૪)ના પત્ની મંજુબેન દેવજીભાઈ મુછડીયા જાતે અનુ. જાતિ (૩૦) ગત તા. ૧૧/૧૧/૨૧ ના રોજ ગુમ થયા હોવાની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે નોંધ કરી ગુમ થયેલ મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં તે મહિલા લજાઈ પાસે આવેલ બાલાજી કેરેટના કારખાનામાંથી મળી આવતા પોલીસ આગળ રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહિલાને પ્રેમ સંબંધ હોય તે ચાલી ગઈ હતી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે