મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ વાંકાનેર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો અને શહેર કોંગ્રેસ પ્રમુખે નવા ચીફ ઓફિસરની કરી શુભેચ્છા મુલાકાત મોરબીની સાર્થક વિદ્યા મંદિર શાળામાં આજે માતા પિતા પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના લાલપર ગામના યુવાન તથા નાના દહિંસરા ગામના આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબીના ઘુનડા રોડ ઉપર યુવાનને આંતરીને ત્રણ લોકોએ છરીના ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વેલેન્ટાઈન ડે નહીં વાત્સલ્ય દિવસ ઉજવાયો: મોરબીમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓએ કરી વૈભવી કારમાં જોય રાઈડ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં સગર્ભા મહિલાએ અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબી નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં સગર્ભા મહિલાએ અંતિમ પગલું ભર્યું

મોરબીના ઊંચી માંડલ ગામના બસ સ્ટેશન પાસે આવેલ સિમેન્ટના ગળદા બનાવવાના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી સગર્ભા પરણીતાએ લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે બસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ સિમેન્ટના ગળદા બનાવવાના કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા હતા ત્યાં કામ કરતા સુરેશભાઈ મેડાના સગર્ભા પત્ની શીલાબેન સુરેશભાઈ મેડા (૨૨)એ કોઈ કારણોસર લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સુરેશભાઈ મેડા મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેની નોંધ કરી આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ. બગડા ચલાવી રહ્યા છે અને મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર શહેરમાં આવેલ હવેલી શેરી દરબારગઢ પાસે રહેતા તરુણસિંહ ખોડુભા (૫૩) નામના આધેડને ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યે અરસામાં હાર્ટ અટેક આવતા તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News