આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં હપ્તેથી ડ્રાઈવરને મોબાઈલ અપાવનારા ટ્રાન્સપોર્ટરને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













વાંકાનેરમાં હપ્તેથી ડ્રાઈવરને મોબાઈલ અપાવનારા ટ્રાન્સપોર્ટરને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી

મૂળ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેરમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા યુવાને હપ્તેથી મોબાઈલ ફોન ડ્રાઈવરને લઈ દીધેલ હતો જે મોબાઈલ ફોનના હપ્તા ભરવામાં આવતા ન હોવાથી યુવાને રૂપિયા માંગતા તે સારું નહીં લાગતા તેનો ખાર રાખીને યુવાનને વઘાસિયા ટોલનાકા પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસ નજીક બોલાવીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ આરોપીએ પોતાની કારથી ફરિયાદીની કાર રોકાવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ડોડીયાનો રહેવાસી અને હાલમાં વાંકાનેર શહેરમાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં હાર્દિકભાઈ વાસાભાઇ સોલંકી જાતે કારડીયા રજપૂત (૨૭)એ હાલમાં સિટી પોલીસ સ્ટેશને જગાભાઈ લક્ષ્મણભાઈ ચાવડા અને કિશોરભાઈ ધનાભાઈ ચાવડા રહે. પોરબંદર વાળાની સામે વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ડ્રાઈવર આરોપી કિશોરભાઈ ધનાભાઈ ચાવડાને તેણે હપ્તેથી મોબાઈલ ફોન લઈ લીધેલ હતો જેના હપ્ત ભરતા ન હોય ફરિયાદીએ રૂપિયા માંગ્યા હતા જે સારું ન લાગતાં જગાભાઈ ચાવડાએ તેને ફોન કરીને વઘાસીયા ટોલનાકા પાસે આવેલ અર્જુન ચેમ્બરમાં શિવ કૃપા ટ્રાન્સપોર્ટ ઓફિસ પાસે બોલાવ્યો હતો અને ત્યાં જેમ ફાવે તેમ ગાળો આપીને લાકડી વડે તેને માર માર્યો હતો અને ત્યારે કિશોરભાઈ ચાવડાએ તેને પકડી રાખ્યો હતો ત્યારબાદ આરોપીએ તેની કાર નંબર જીજે ૧૧ સીએલ ૦૦૩૨ થી ફરિયાદીની કારને રોકીને જગાભાઈ ચાવડાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મુકેશભાઈ વાસાણી ચલાવી રહ્યા છે






Latest News