મોરબીના જોધપર નદી ગામે સાસુ, જેઠ અને જેઠાણીનાત્રાસથી કંટાળીને પરણિતાએ ઝેરી દવા ગટગટાવી મોરબીના રામપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીના લાલપર પાસે બંધ પડેલા આઇસર ટ્રકની પાછળ રિક્ષા અથડાતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત ટંકારાના ઓટાળા ગામે રહેતા યુવાને 30 લાખની સામે 1.45 કરોડ ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ !: બે સામે ફરિયાદ હળવદના ચુપણી ગામે પ્રેમ લગ્ન કરનાર યુવતીના કૌટુંબિક ભાઈજીને ધોકા વડે માર માર્યો: મારી નાખવાની ધમકી હળવદના ડુંગરપુર ગામે પ્રેમ લગ્ન કરનાર બહેનને ભાઈએ આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના રણમલપુર ગામનો બનાવ: મૈત્રી કરાર કરનાર યુગલે ઝેરી દવા પી લેતા યુવતીનું સારવારમાં મોત મોરબીના જોધપર નદી ગામના જાપા પાસેથી ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત  
Breaking news
Morbi Today

વાંકાનેરના લિંબાળામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની માતાને યુવતીના પિતાએ માર માર્યો


SHARE







વાંકાનેરના લિંબાળામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની માતાને યુવતીના પિતાએ માર માર્યો

વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતી મહિલાના દીકરાએ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના પિતાને તે સારું નહીં લાગતા તેણે મહિલાને ગાળો આપી હતી અને લાકડી વડે બંને હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ લિંબાળા ગામે રહેતા શારદાબેન જાદવભાઈ સીતાપરા જાતે કોળી (ઉમર ૪૦) એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરા રહે. લિંબાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના દીકરાએ આરોપી શંકરભાઈની દીકરી સાથે પ્રેમ લગ્ન કરેલ છે જે તેઓને સારું નહીં લાગતા આરોપીએ ગામની સહકારી દૂધની ડેરી પાસે તેઓ હતા ત્યારે ગાળો આપી હતી અને લાકડી વડે બંને હાથમાં માર મારીને ફેક્ચર જેવી ઇજા કરેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી કરીને મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા નારણભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે.

રીક્ષા પલ્ટી જતા ઇજા

મોરબીના પંચાસર રોડ પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો આ બનાવમાં અખ્તરભાઈ ગનીભાઈ સેવંગીયા (ઉંમર ૪૦) રહે.વાંકાનેર દરવાજા પાસે મોરબી વાળાઓને ઇજાઓ થતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કર્યા બાદ બનાવની જાણ પોલીસમાં કરાતા પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને અકસ્માત બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે મોરબીના કુબેરનાથ રોડ ઉપર રહેતા મહેબૂબભાઈ દાઉદભાઈ કાજી નામના ૫૪ વર્ષીય આધેડ સાયકલ લઈને જતા હતા ત્યારે તેઓ સાયકલ સહિત નીચે પડી જતા ઇજા પામતા સારવાર માટે તેઓને પણ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.






Latest News