આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી નજીક વાડીમાં પતિએ કરી પત્નીની હત્યા: પરિવારજનો મૃતદેહ લઈને ૪૫૦ કિલો મીટર દૂર પોલીસ મથકે પહોચ્યા !


SHARE













મોરબી નજીક વાડીમાં પતિએ કરી પત્નીની હત્યા: પરિવારજનો મૃતદેહ લઈને ૪૫૦ કિલો મીટર દૂર પોલીસ મથકે પહોચ્યા !

મોરબી નજીકના ખાનપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતાં આધેડે તેની પત્ની સાથે ઝૂપડામાં હતા ત્યારે કોઈ કારણોસત તેને દાતરડીના મોઢા અને માથાના ભાગે ઘા માર્યા હતા અને તેની પત્નીની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ વાડીના શેઠને આ અંગેની જાણ કરી હતી જેથી તેને ગાડી કરી આપતા અહી કોઈને કશી જાણ કર્યા વગર બોડીને લઈને હત્યારો પતિ અને અન્ય પરિવારજનો દાહોદ જીલ્લાના ઝોઝ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા જેથી ત્યાંની પોલીસે હાલમાં મૃતક મહિલાના દીકરાની ફરિયાદ લઈને હત્યારા પતિની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરા (આહીર) ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી હસમુખભાઇ રેમલાભાઈ નાયકા (૨૪)એ હાલમાં ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા રેમલાભાઈ દેવાસીંગભાઈ નાયકા સામે ફરિયાદીની માતાની હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૮/૧૧ ના રોજ રાતના સમયે ફરિયાદીના પિતા રેમલાભાઈ નાયક અને તેની માતા ઝીણકીબેન નાયકા ખાનપર ગામે રાજેશભાઈ ડાવેરાની વાડીએ ઝૂપડામાં સૂતા હતા અને ફરિયાદી, તેના પત્ની તેનો નાનો ભાઈ અને તેના નાની ઝૂપડાની બહારના ભાગે સૂતા હતા ત્યારે ઝૂપડામાં કોઈ કારણોસર તેના પિતાએ તેની માતાને માથા અને મોઢાના ભાગે દાતરડીના ઘા માર્યા હતા જેથી તેની માતાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ફરિયાદીના નાના ભાઈ સચિને તેના શેઠ રાજેશભાઈ લક્ષ્મણભાઈ ડાવેરાને આ બનાવની જાણ કરી હતી જેથી કરીને શેઠ વાડીએ આવી ગયા હતા અને ફરિયાદી તેમજ તેના પરિવારજનોને તેઓના વતનમાં જતાં રહેવા માટે કહ્યું હતું અને તેને આર્ટિગા ગાડી નંબર જીજે ૩૬ એએફ ૪૭૦૦ બાંધી આપી હતી જેથી કરીને જેથી કરીને ફરિયાદી તેની માતાનો હત્યા કરેલ મૃતદેહ લઈને વતનમાં જય રહ્યા હતા અને ઘરે જવાના બદલે તે સીધા જ ડેડબોડી સાથે ઝોઝ પોલીસ સ્ટેશને પહોચ્યા હતા અને હત્યાના આ બનાવની પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ પણ ચોંકી ગઈ હતી અને હાલમાં મૃતકના દીકરાની ત્યાં ફરિયાદ લેવામાં આવેલ છે અને આ બનાવની ત્યાંની પોલીસે મોરબી પોલીસને જાણ કરી છે જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News