જયસુખભાઇ પટેલના વચ્ચગાળાના જામીન માટેની અરજીની આજે હાઇકોર્ટમા સુનાવણી
SHARE
જયસુખભાઇ પટેલના વચ્ચગાળાના જામીન માટેની અરજીની આજે હાઇકોર્ટમા સુનાવણી
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે પૈકીનાં જયસુખભાઇ પટેલ દ્વારા રેગ્યુલર જામીન અને વચ્ચગાળાના જામીન માટેની અરજી કરવામાં આવેલ છે જેમાંથી વચ્ચગાળાના જામીન માટેની અરજીની આજે સુનાવણી હાથ ધરાશે અને આવતીકાલે રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી છે તેવું જાણવા મળી રહ્યું છે
મોરબીમાં ગત ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડ્યા હતા અને તે પૈકીનાં કુલ મળીને ૬ આરોપીઓને અગાઉ હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા ગ્રૂપના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા રેગ્યુલર જામીન માટે અને વચ્ચગાળાના જામીન માટેની અરજી કરવામાં આવેલ છે જેમાંથી વચ્ચગાળાના જામીન માટેની અરજીની આજે સુનાવણી હાથ ધરાશે અને આવતીકાલે રેગ્યુલર જામીન માટેની અરજીની સુનાવણી છે તેની સાથે કાલે હાઇકોર્ટમાં મેનેજર દીપકભાઈ પારેખની રેગ્યુલર જામીન અરજીની સુનાવણી હાથ ધરાવવાની છે









