જયસુખભાઇ પટેલના વચ્ચગાળાના જામીન માટેની અરજીની આજે હાઇકોર્ટમા સુનાવણી
મોરબીમાં હિન્દુ યુવાનની હત્યા કરનારા વિધર્મીના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કલેક્ટરને રજૂઆત
SHARE
મોરબીમાં હિન્દુ યુવાનની હત્યા કરનારા વિધર્મીના ગેરકાયદે બાંધકામો તોડી પાડવા કલેક્ટરને રજૂઆત
મોરબીમાં સામાકાંઠે વિધર્મી દ્વારા હિન્દુ યુવાનને છરી મારીને તેની હત્યા કરવામાં આવી છે ત્યારે મોરબીમાં વિઘર્મી દ્વારા મંદિરમાં તોડફોડ, હુમલા અને ત્યાં રહેતા લોકોની સાથે મારામારીના બનાવ અગાય બનેલ છે ત્યારે લુખ્ખાગીરી કરીને ખુલ્લેઆમ દાદાગીરી કરનારાઓની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી કરીને સરકારી જગ્યા ઉપર અવેધ બાંધકામ કરીને કબજો જમાવીને રહેતા હોય તો તાત્કાલિકના ધોરણે તેનું ડિમોલેશન કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને મોરબી હિન્દુ યુવા વાઈની જિલ્લા પ્રમુખ, અખિલ વિશ્વ ગૌશાવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી તેમજ સર્વે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેની કોપી રાજ્યના ગૃહમંત્રી, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને પણ આપવામાં આવી છે









