મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડેથી ગુમ થયેલ યુવાન આર્થિક કારણોસર ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું


SHARE







મોરબીના પીપળી રોડેથી ગુમ થયેલ યુવાન આર્થિક કારણોસર ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું

મૂળ રાજકોટનો રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠે જેતપર-પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં રહેતો યુવાન ગુમ થઈ ગયો હતો જે અંગે તેના પિતાએ પોલીસમાં જાણ કરી હતી અને તપાસ દરમિયાન યુવાન આર્થિક કારણોસર ગુમ થયો હોવાનું અને તે હેમખેમ પરત આવી ગયો હોવાની પોલીસમાંથી માહિતી મળી રહી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ પીપળી રોડ ઉપરની હરિગુણ સોસાયટીમાં રહેતો આનંદ દિલીપભાઈ હરજીભાઈ ધરસંડીયા નામનો ૨૯ વર્ષનો યુવાન ઘરેથી ગત તા.૨૯-૧૦ ના રોજ કામે જવા નીકળ્યો હતો અને બાદમાં કોઈને કંઈપણ કહ્યા વિના ગુમ થઈ ગયો હતો જે અંગે પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવેલ હોવાથી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં યુવાન પોલીસ મથક ખાતે હાજર થયો હતો અને પોલીસને જણાવ્યું હતું કે આર્થિક સંકડામણ રહેતી હોવાના લીધે અને આર્થિક મંદીના કારણોસર તે કંટાળી ગયો હોવાથી રાજકોટ ચાલ્યો ગયો હતો.હાલ આનંદ હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વાઘપરા મારામારી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ક્વાટરમાં કેજમ કંડલા બાયપાસ આવાસના કવાટરમાં રહેતા બે યુવાનોને સામસામે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે કાસીમ ઇબ્રાહીમભાઇ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) અને સામેના પક્ષેથી સાજીદ હનીફભાઇ ચાનીયા (ઉંમર ૨૬) વાળાઓને મોરબીના વાઘપરા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

લાતી પ્લોટ મારામારી

મોરબીના લાતી પ્લોટમાં આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા હમીદાબેન સિકંદરભાઈ મોવર નામની ૪૭ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરવામાં આવેલ હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે પાડોશીઓ સાથે શેરીમાં કચરો નાખવા જેવી નજીકની બાબતે થયેલ બોલાચાલીના બનાવ બાદ મારામારીના બનાવમાં ઈજાઓ થતા હમીદાબેનને સારવારમાં ખસેડીયા હતા.






Latest News