મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડેથી ગુમ થયેલ યુવાન આર્થિક કારણોસર ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું


SHARE















મોરબીના પીપળી રોડેથી ગુમ થયેલ યુવાન આર્થિક કારણોસર ચાલ્યો ગયો હોવાનું ખુલ્યું

મૂળ રાજકોટનો રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠે જેતપર-પીપળી રોડ ઉપર આવેલ હરિગુણ સોસાયટીમાં રહેતો યુવાન ગુમ થઈ ગયો હતો જે અંગે તેના પિતાએ પોલીસમાં જાણ કરી હતી અને તપાસ દરમિયાન યુવાન આર્થિક કારણોસર ગુમ થયો હોવાનું અને તે હેમખેમ પરત આવી ગયો હોવાની પોલીસમાંથી માહિતી મળી રહી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ પીપળી રોડ ઉપરની હરિગુણ સોસાયટીમાં રહેતો આનંદ દિલીપભાઈ હરજીભાઈ ધરસંડીયા નામનો ૨૯ વર્ષનો યુવાન ઘરેથી ગત તા.૨૯-૧૦ ના રોજ કામે જવા નીકળ્યો હતો અને બાદમાં કોઈને કંઈપણ કહ્યા વિના ગુમ થઈ ગયો હતો જે અંગે પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવેલ હોવાથી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં યુવાન પોલીસ મથક ખાતે હાજર થયો હતો અને પોલીસને જણાવ્યું હતું કે આર્થિક સંકડામણ રહેતી હોવાના લીધે અને આર્થિક મંદીના કારણોસર તે કંટાળી ગયો હોવાથી રાજકોટ ચાલ્યો ગયો હતો.હાલ આનંદ હેમખેમ મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વાઘપરા મારામારી

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આવાસ યોજનાના ક્વાટરમાં કેજમ કંડલા બાયપાસ આવાસના કવાટરમાં રહેતા બે યુવાનોને સામસામે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે કાસીમ ઇબ્રાહીમભાઇ શાહમદાર જાતે ફકીર (ઉંમર ૨૨) અને સામેના પક્ષેથી સાજીદ હનીફભાઇ ચાનીયા (ઉંમર ૨૬) વાળાઓને મોરબીના વાઘપરા પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી હતી.

લાતી પ્લોટ મારામારી

મોરબીના લાતી પ્લોટમાં આવેલા જોન્સનગર વિસ્તારમાં રહેતા હમીદાબેન સિકંદરભાઈ મોવર નામની ૪૭ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે જાણ કરવામાં આવેલ હોવાથી એ ડિવિઝન પોલીસ મથકના પી.વી.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવતા પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ કે પાડોશીઓ સાથે શેરીમાં કચરો નાખવા જેવી નજીકની બાબતે થયેલ બોલાચાલીના બનાવ બાદ મારામારીના બનાવમાં ઈજાઓ થતા હમીદાબેનને સારવારમાં ખસેડીયા હતા.






Latest News