મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે શનિવારે સંતવાણી, સજનપર ગામે નાટકનું આયોજન


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે શનિવારે સંતવાણી, સજનપર ગામે નાટકનું આયોજન

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે કાળી ચૌદસના દિવસે ભવ્ય ભજન સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.તે રીતે જ સજનપર ગામે બુધવારના રોજ નાટકનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.

વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રફાળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા તા.૧૧ ને શનિવારે કાળી ચૌદશ નિમિતે ભવ્ય ભજન અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.રફાળેશ્વર ચોકડી ભૂદેવ પાનની બાજુમાં આવેલા શ્રી હનુમાનજી મંદીર ૮-એ નેશનલ હાઈવે સામાકાંઠે મોરબી-૨ ખાતે યોજાનાર આ સંતવાણી-ભજનનાં કાર્યક્રમમાં રામદાસ ગોંડલીયા તેમજ ચંદુભાઈ ડાભી (બેન્જો) અને સાજીંદા ગ્રુપ ભજનની રમઝટ બોલાવશે.જેનો લાભ લેવા રફાળેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

સજનપર ગામે નાટક યોજાશે

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા સજનપર ગામે ગૌશાળાના લાભાર્થે શ્રી બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તથા સજનપર ગામ સમસ્ત દ્વારા નાટકનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં ઐતિહાસિક નાટક 'જાલમસંગ જાડેજા યાને નલિયા કોઠારાનો ઇતિહાસ' તેમજ સાથે પેટ પકડીને હસાવતું કોમિક 'વાંઢાની વેદના' દર્શાવવામાં આવશે માટે ગાયમાતાના લાભાર્થે યોજાનાર આ બંને નાટકો નિહાળવા અને ગૌ સેવાનો લાભ લેવા આયોજક ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તા.૧૫ ને બુધવારના (ભાઈબીજ) દિવસે રાત્રિના ૯:૩૦ કલાકે સજનપર ગામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ નાટક યોજનાર હોય શ્રી બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ અને સમસ્ત સજનપર ગામ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News