મોરબી: બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે બાગાયતી યોજનાનો સેમીનાર યોજાયો
વાંકાનેરના હસનપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
SHARE
વાંકાનેરના હસનપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો
વાંકાનેર તાલુકાના હસનપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રારથનું આગમન થયું હતું. તારે આ ગામને ૧૦૦ % નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરી ગ્રામ પંચાયતનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પોષણ યોજના, સોઈલ હેલ્થ કાર્ડ, આયુષ્માન કાર્ડ, ટીબી નિક્ષય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, માતૃશક્તિ વગેરે યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અને વસુધૈવ કુટુંબકમ્ વિષય પર નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને ધરતી કહે પુકાર કે ગીત પર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાની વિદ્યાર્થીની દ્વારા ઓન ધ સ્પોટ ક્વિઝ અંતર્ગત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, જન પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી અને કર્મચારીઓ તેમજ હસનપરના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.