મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી પીજીવીસીએલ દ્વારા આવતીકાલે ઉર્જા બચત અને વીજ સલામતી જાગૃતિ અંતર્ગત રેલીનું આયોજન


SHARE















મોરબી પીજીવીસીએલ દ્વારા આવતીકાલે ઉર્જા બચત અને વીજ સલામતી જાગૃતિ અંતર્ગત રેલીનું આયોજન

મોરબીમાં રાષ્ટ્રિય ઊર્જા બચત પર્વ ડીસેમ્બર-૨૦૨૩ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતીના હેતુથી રેલીનું આયોજન કરવામાં આવેલ છે.

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીસેમ્બર-૨૦૨૩ ઊર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા તા.૧૧-૧૨ થી ૧૬-૧૨ સુધી ઊર્જા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે.આ ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત આવતી કાલ તા.૧૪ ના રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરેલ છે.જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે પેમ્ફલેટ વિતરણ દ્વારા જન જાગૃતિ અંગેનું આયોજન કરેલ છે.રેલી તા.૧૪ ના રોજ સવારે ૯-૩૦ કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડથી મહારાણા પ્રતાપ સર્કલ થઇને મયુર પુલથી નગર દરવાજા ચોક, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ, ભક્તિનગર સર્કલ ખાતે પૂર્ણ થશે.તેમ  મોરબી વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એસ.એચ. રાઠોડે યાદીમાં જણાવેલ છે.






Latest News