મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

સાથી હાથ બઢાના : મોરબીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીના શિક્ષણના લાભાર્થે સમૂહ લગ્નનું આયોજન


SHARE















સાથી હાથ બઢાના : મોરબીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીના શિક્ષણના લાભાર્થે સમૂહ લગ્નનું આયોજન

મોરબીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું મોરબીમાં આયોજન કરાયેલ છે.વર્ષ ૧૯૯૬થી કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યુ છે.ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણના લાભાર્થે ૧૧ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. 

ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર તેમજ મંત્રી કેશુભાઈ ચાવડાએ યાદીમાં જણાવેલ છે કે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓને ફ્રી માં શિક્ષણ આપી શકાય તે માટે ૧૧ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે.આ લગ્નોત્સવ બાદ વધતી રકમને માત્રને માત્ર પિતા વગરના બાળકોના અભ્યાસમાં ઉપયોગ લેવામાં આવશે.આ સમૂહ લગ્નોત્સવનો લાભ લેવા માંગતા મોરબી જિલ્લાના કોઈપણ જ્ઞાતિના પરિવારજનોએ આગામી ૧૮-૧૨ ના રોજથી પ્રાગટ્ય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહીદાસપરા મેઈન રોડ, મોરબી ખાતેથી સવારના ૧૦ થી ૧ દરમિયાન ફોર્મ મેળવી શકશે.લગ્નોત્સવ આગામી તા.૧૮-૨-૨૪ ના રોજ મોરબી ખાતે યોજાશે.વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર (મો.૯૬૨૪૬ ૮૬૭૧૮) તેમજ મંત્રી કેશુભાઈ ચાવડા (મો.૬૩૫૨૮ ૮૩૭૭૨) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News