મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાના ઉગમણા નાકે રહેતી યુવતી મહેંદી મૂકવા જવાનું કહીને ગુમ


SHARE







ટંકારાના ઉગમણા નાકે રહેતી યુવતી મહેંદી મૂકવા જવાનું કહીને ગુમ

ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતી યુવતી ઘરેથી મહેંદી મૂકવા માટે જાઉં છું તેવું કહીને નીકળ્યા બાદ ઘરે પરત આવેલ નથી જેથી કરીને ગુમ થયેલ યુવતીની માતા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપવામાં આવી છે જેના આધારે પોલીસે નોંધ કરી ગુમ થયેલ યુવતીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતા હંસાબેન નાનજીભાઈ સારેશા જાતે અનુ. જાતિ (૪૫)એ તેઓની દીકરી ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આપી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેમની દીકરી શિલ્પાબેન નાનજીભાઈ સારેશા (૨૦) પોતાના ઘરેથી ગત તા, ૧૮/૧૨ ના સવારે ૯ વાગ્યાના સમયે મહેંદી મૂકવા જવાનું કહીને નીકળી હતી અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી અને આજુબાજુમાં તથા સંબંધીઓમાં તપાસ કરતા કોઈ જગ્યાથી તેનો પતો લાગે નથી જેથી કરીને આ યુવતી ગુમ થઈ હોવા અંગેની ગુમ થયેલ યુવતીની માતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના એસપી રોડ ઉપર રહેતા ચંદુભાઈ ખીમજીભાઇ કુંડારિયા (૪૬) એસપી રોડ ઉપરથી જતા હતા ત્યારે બાઈક અથડાતાં અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ક્રિષ્ના હોસ્પિટલ ખાતેથી સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News