દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું મહત્વનું યોગદાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
SHARE
દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું મહત્વનું યોગદાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈ ફેક્ટરીના ઉત્પાદનો તથા બનાવટ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. સાથે સાથે મોરબીના સીરામીક ઉદ્યોગે ભરેલી વિકાસની હરણફાળની તેઓએ પ્રસંશા કરી હતી.
મોરબીના સિરામિક ઉદ્યોગનાં વિવિધ પાસાઓની જાણકારી મેળવી હતી ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, ગુજરાત તથા દેશના વિકાસમાં આ ઉદ્યોગનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે રાજ્યપાલ સાથે આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જી.ટી.પંડ્યા, એસ.પી. ડૉ. ગીરીશ પંડ્યા, ભરતભાઈ વરમોરા, પ્રમોદભાઈ વરમોરા, ચમનભાઈ દેત્રોજા, અશોકભાઈ પટેલ, મહેશભાઇ ભોરણિયા વગેરે જોડાયા હતા અને રાજ્યપાલને ફેક્ટરીની કાર્યપ્રણાલી તથા ઉત્પાદન સહિતની બાબતોથી અવગત કરાવ્યાં હતા.
પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને અભિનંદન આપ્યા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ઉભા કરવામાં આવેલ સ્ટોલ્સની મુલાકાત લઈ સહૃદયતાથી ખેડૂત ભાઈઓને મળી તેઓની સાથે ભાવપૂર્ણ સંવાદ સાધ્યો હતો. અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા બદલ સૌ ખેડૂત ભાઈઓને રાજ્યપાલએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે ઉપસ્થિત ખેડૂતોએ પણ રાજ્યપાલ દ્વારા આરંભવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ અભિયાનની પ્રસંશા કરી હતી. આ અભિયાનમાં સહભાગી થવાનો અવસર મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.