હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું મહત્વનું યોગદાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી


SHARE













દેશના વિકાસમાં મોરબીના સીરામીક ઉદ્યોગનું મહત્વનું યોગદાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

મોરબીની વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈ ફેક્ટરીના ઉત્પાદનો તથા બનાવટ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. સાથે સાથે મોરબીના સીરામીક ઉદ્યોગે ભરેલી વિકાસની હરણફાળની તેઓએ પ્રસંશા કરી હતી.

મોરબીના સિરામિક ઉદ્યોગનાં વિવિધ પાસાઓની જાણકારી મેળવી હતી ત્યાર બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, ગુજરાત તથા દેશના વિકાસમાં આ ઉદ્યોગનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે રાજ્યપાલ સાથે આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કાંતિભાઈ અમૃતિયા, કલેક્ટર જી.ટી.પંડ્યા,  એસ.પી. ડૉ.  ગીરીશ પંડ્યા, ભરતભાઈ વરમોરા, પ્રમોદભાઈ વરમોરા, ચમનભાઈ દેત્રોજા, અશોકભાઈ પટેલ, મહેશભાઇ ભોરણિયા વગેરે જોડાયા હતા અને રાજ્યપાલને ફેક્ટરીની કાર્યપ્રણાલી તથા ઉત્પાદન સહિતની બાબતોથી અવગત કરાવ્યાં હતા.

પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને અભિનંદન આપ્યા

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વરમોરા ગ્રેનીટો ફેક્ટરીની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યાં જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ઉભા કરવામાં આવેલ સ્ટોલ્સની મુલાકાત લઈ સહૃદયતાથી ખેડૂત ભાઈઓને મળી તેઓની સાથે ભાવપૂર્ણ સંવાદ સાધ્યો હતો. અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા બદલ સૌ ખેડૂત ભાઈઓને રાજ્યપાલએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે ઉપસ્થિત ખેડૂતોએ પણ રાજ્યપાલ દ્વારા આરંભવામાં આવેલ પ્રાકૃતિક કૃષિ અભિયાનની પ્રસંશા કરી હતી. આ અભિયાનમાં સહભાગી થવાનો અવસર મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો.






Latest News