મોરબીના પીપળી પાસે મારુતિ સોસાયટીમાં પાણી પ્રશ્ને રોડ કર્યો ચક્કાજામ
મોરબી જિલ્લા ભાજપ દ્વારા સુશાસન દિન નિમિત્તે આર્યવર્ત એકેડેમી ખાતે કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જિલ્લા ભાજપ દ્વારા સુશાસન દિન નિમિત્તે આર્યવર્ત એકેડેમી ખાતે કાર્યક્રમ યોજાયો
૨૫ ડિસેમ્બર એટલે કે ભારતરત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયીજીની જન્મજ્યંતીને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપ દ્વારા આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી (લક્ષ્મીનગર) ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમા જીલ્લા ભાજપના મહામંત્રી કે.એસ.અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, જીલ્લા ભાજપ મંત્રી નિરજભાઈ ભટ્ટ સહિતના જિલ્લા ભાજપના તમામ હોદેદારો, જિલ્લા અને તાલુકાના, મોરચાના તમામ હોદેદારો અને ચૂંટાયેલા તમામ પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ તકે જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા દ્વારા અટલજીના જીવન વિશે ખૂબ સરસ રીતે ઝીણવટપૂર્વક વાત કરવામાં આવી હતી. આર્યાવર્ત સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રશાંતભાઈ ગોરીયા અને રમેશભાઇ કૈલા દ્વારા સંચાલન કરી અટલજીના જીવન વિશેની એક ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી