મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં વૈદિક શ્લોક-યજ્ઞ વિધિ દ્વારા તુલસી દિવસ ઉજવાયો


SHARE













મોરબીની નીલકંઠ સ્કૂલમાં વૈદિક શ્લોક-યજ્ઞ વિધિ દ્વારા તુલસી દિવસ ઉજવાયો

સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના નાગરિકોએ મોડર્ન દેખાવાની સ્પર્ધામાં વિદેશી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થયા છે. ત્યારે વિદેશી સંસ્કૃતિમાંથી આઝાદી મેળવિને ભારતની પ્રાચીન સંસ્કૃતિના પુનરૂત્થાન અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કામ કરવાની જરૂર છે ત્યારે વિદ્યાર્થીઓ થકી સમાજને એક અનેરો સંદેશો આપવા ૨૫  ડિસેમ્બરને સોમવારના રોજ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરેલ હતું ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તુલસીના છોડનું પૂજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ કરીને તુલસીની આરતી કરી હતી. આ તકે નીલકંઠ સ્કૂલ અને SK SAVE SOIL LLP કે જે ઓર્ગેનિક ખાતરનાં ઉત્પાદનકર્તા છે તેનાં સંયુક્ત ઉપક્રમે સેવ સોઈલ, સેવ લાઈવ્સના હેતુ ને સાર્થક કરવા વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિદ્યાર્થી રાસાયણિક ખાતરની જમીન પર થતી આડ અસર અને ઓર્ગેનિક ખાતરથી થતા ફાયદા બાબતે માહિતગાર બને તે હતો વધુમાં તુલસીના પૂજનના અનેક  ફાયદાઓ થાય છે જેવા કે, ખરાબ વિચારો દુર થાય છે, પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે, સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, અનેક પાપો નષ્ટ થાય છે, ભય અને ક્રોધ દૂર થાય છે અને તુલસીનો છોડ ઔષધિ માટે પણ ઉપયોગી છે આવા અનેક ઉદેશ્યથી વિદ્યાર્થીઓએ સમાજ સુધી સારો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કર્યો હતો. તેવું ત્યાના સંચાલક જીતુભાઈ વડસોલાએ માહિતી આપતા જણાવ્યુ છે








Latest News