મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરાઇ
SHARE
મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરાઇ
મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં કુલ મળીને ૧૫ જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રેલવેની સલાહકાર સમિતિમાં જુદા જુદા રેલવે સ્ટેશન માટે થઈને કુલ મળીને ૧૫ સભ્યોને લેવામા આવ્યા છે
મોરબીમા આવતા મોરબી, મકનસર અને વવાણીયા રેલવે સ્ટેશનને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા રેલ્વે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં મકનસર રેલવે સ્ટેશન માટે ભાણજીભાઈ બોપલિયા, બાલકૃષ્ણભાઈ પટેલ, ગૌતમભાઈ હડિયલ, ધનજીભાઈ દંતાલીયા અને સિધ્ધરાજસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મોરબી રેલ્વે સ્ટેશનમાં જીતેન્દ્રભાઈ મિસ્ત્રી, ચંપકસિંહ રાણા, ભાવેશભાઈ ડાભી, હસમુખભાઈ ચાવડા અને રાજેશભાઈ કંઝારીયાનો સમાવેશ કરાયો છે અને વવાણીયા રેલવે સ્ટેશનમાં અવેશભાઈ કાસમભાઈ મોવર, ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ કટિયા, ઝુલ્ફીકરભાઈ સંતવાણી, અબ્બાસભાઈ અબ્દુલભાઈ જામ અને અલિયાસભાઈ મોવરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે