હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બોઈલર બ્લાસ્ટ થતાં દાઝી ગયોલા આધેડનું પણ સારવારમાં મોત: કુલ મૃત્યુ આંક ત્રણ


SHARE













મોરબી નજીક કારખાનામાં બોઈલર બ્લાસ્ટ થતાં દાઝી ગયોલા આધેડનું પણ સારવારમાં મોત: કુલ મૃત્યુ આંક ત્રણ

મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઈવા સિન્થેટિક નામના કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને ત્યારે ત્યાં ઘટના સ્થળે હાજર રહેલ કારખાનાના મેનેજર, ટેક્નિશિયન અને સૂપર વાઇઝર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી જેથી આ અંગે તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારે બે વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને એક વ્યક્તિને ઇજા પામેલ હાલતમાં બહાર કાઢીને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જે આધેડનું પણ રાજકોટ ખાતો સારવારમાં મોત થયુ છે

મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઇવા સિન્થેટિક નામના કારખાનાના બોઇલર વિભાગની અંદર ગત તા ૧૨/૧૨ ના રોજ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાની સાથે જ ત્યાં હાજર રહેલા ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હતા અને કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને આ અંગેની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી અને ત્રણ ફાયર ફાઈટરને ઘટના મોકલીને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા જો કે, કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં રહેતા વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (૪૦) તેમજ ઉપલેટા તાલુકાનાં કોલકી ગામના રહેવાસી હિતેશભાઇ મનસુખભાઇ ડેડકીયા (૩૭) નામના બે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને કારખાનાના સુપરવાઇઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા જાતે દરજી (૫૦) રહે. માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળા દાઝી જતા તેને સારવારમાં રાજકોટ ખસેડયા હતા ત્યાં સારવાર દરમિયાન નીતિનભાઈ ધામેચા નું આજે મોત નીપજ્યું છે જેથી કરીને બગથળા ગામ પાસે આવેલ કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થવાની આ દુર્ઘટનામાં કુલ મળીને અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને હાલમાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન નીતિનભાઈ ધામેચાનું મોત થયું હોવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં જાણવા મળી રહ્યું છે






Latest News