મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલ બી.કે.બોરીચાનું સરઘસ કાઢતી પોલીસ, ઘરમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બાબતે ઊંડાણપૂર્વની તપાસ ચાલુ: DYSP મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિસંમેલન યોજાયું વાંકાનેરમાં બહેન રિસામણે બેઠેલ હોય સમાધાન માટે ગયેલ યુવાનને વેવાઈ-વેવાણે મારમાર્યો ટંકારા નજીક રિક્ષા રેલિંગ સાથે અથડાઈને પલટી મારી જતાં બે સગાભાઈઓને ઇજા: રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગૌરક્ષકોએ પકડી: પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જતાં હોવાનું ખૂલ્યું માળીયા (મી)-હળવદમાં દારૂની 3 રેડ: 31 બોટલ દારૂ-39 બિયરના ટીન કબ્જે વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા યુવાને બીમાર પત્નીની સારવારના ટેન્શનમાં કર્યો આપઘાત મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં બોઈલર બ્લાસ્ટ થતાં દાઝી ગયોલા આધેડનું પણ સારવારમાં મોત: કુલ મૃત્યુ આંક ત્રણ


SHARE













મોરબી નજીક કારખાનામાં બોઈલર બ્લાસ્ટ થતાં દાઝી ગયોલા આધેડનું પણ સારવારમાં મોત: કુલ મૃત્યુ આંક ત્રણ

મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઈવા સિન્થેટિક નામના કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને ત્યારે ત્યાં ઘટના સ્થળે હાજર રહેલ કારખાનાના મેનેજર, ટેક્નિશિયન અને સૂપર વાઇઝર સહિત કુલ ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હોવાની માહિતી સામે આવી હતી જેથી આ અંગે તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યારે બે વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને એક વ્યક્તિને ઇજા પામેલ હાલતમાં બહાર કાઢીને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જે આધેડનું પણ રાજકોટ ખાતો સારવારમાં મોત થયુ છે

મોરબી નજીકના બગથળા ગામ પાસે આવેલ ઇવા સિન્થેટિક નામના કારખાનાના બોઇલર વિભાગની અંદર ગત તા ૧૨/૧૨ ના રોજ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટ થવાની સાથે જ ત્યાં હાજર રહેલા ત્રણ વ્યક્તિઓ ત્યાં ફસાયા હતા અને કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને આ અંગેની તાત્કાલિક મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડાવવામાં આવી હતી અને ત્રણ ફાયર ફાઈટરને ઘટના મોકલીને આગ ઉપર કાબુ મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા જો કે, કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતા અને મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં રહેતા વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (૪૦) તેમજ ઉપલેટા તાલુકાનાં કોલકી ગામના રહેવાસી હિતેશભાઇ મનસુખભાઇ ડેડકીયા (૩૭) નામના બે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને કારખાનાના સુપરવાઇઝર નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા જાતે દરજી (૫૦) રહે. માધવ દર્શન એપાર્ટમેન્ટ રવાપર રેસીડેન્સી મોરબી વાળા દાઝી જતા તેને સારવારમાં રાજકોટ ખસેડયા હતા ત્યાં સારવાર દરમિયાન નીતિનભાઈ ધામેચા નું આજે મોત નીપજ્યું છે જેથી કરીને બગથળા ગામ પાસે આવેલ કારખાનામાં બોઇલર બ્લાસ્ટ થવાની આ દુર્ઘટનામાં કુલ મળીને અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને હાલમાં રાજકોટ ખાતે સારવાર દરમિયાન નીતિનભાઈ ધામેચાનું મોત થયું હોવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં જાણવા મળી રહ્યું છે








Latest News