મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી જન્મદિવાસની ઉજવણી કરાઇ
મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી બાળકીનું મોત
SHARE
મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી બાળકીનું મોત
મોરબીના સામાકાંઠે જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ પેપરમીલ નજીક રહેતા અને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના મજુર પરિવારની દીકરી માતા સાથે જાજરૂ ગઈ હતી તે દરમિયાનમાં પાણી માટે કેનાલ નજીક જતા પગ લપસી જતા તેણી કેનાલમાં પડી ગઈ હતી.જેના લીધે ડૂબી જવાથી બાળકીનું મોત નિપજયુ હોવોનું તાલુકા પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબીના સામાકાંઠે ભડીયાદ ગામથી આગળ જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ મિલેનિયમ પેપર મીલ નજીક રહેતા અને મૂળ મધ્યપ્રદેશના મજુર પરિવારની બીટુબેગમ છોટેબેગમ (ઉમર ૧૪) મૂળ રહે મધ્યપ્રદેશ વાળી તેઓની માતા સાથે કારખાના નજીક જાજરૂ ગયેલી હતી અને બાદમાં ત્યાંથી પાણી માટે તેણી કેનાલ નજીક જતા અકસ્માતે પગ લપસી જવાથી તે કેનાલના પાણીમાં પડી ગઇ હતી જેથી તેની શોધખોળ કરવામાં આવતા અંતે કેનાલના પાણીમાંથી બીટુબેગમ નામની સગીરવયની બાળકની ડેડબોડી જ હાથ લાગી હતી જેથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ કરવામાં આવી હતી.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પાલાભાઈ બારોટ નામના ૨૨ વર્ષના યુવાનને વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક સીટી નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થવાથી તેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે બી ડિવિઝનમાં જાણ કરાતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.
બાઈક સ્લીપ થતા ઇજા
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઓમ પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડ ઉપરથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઉદયભાઇ બીપીનભાઈ ઈંન્દેરાશ્રી (ઉમર ૩૮) રહે.મોરબી-૨ સામાકાંઠે નીલકંઠ સોસાયટી વાળાને ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ નોંધ કરીને તપાસ કરી હતી.