મોરબીના જલારામ ધામ ખાતે જલારામ બાપાની ૧૪૫ મી પૂણ્યતિથી નિમિતે કાર્યક્રમ યોજાયો મોરબીમાં બેટરીના પાણીની આડમાં ખાનગી ટ્રાવેલ્સની બસમાં મંગાવેલ દારૂની 1248 બોટલ સાથે એકની ધરપકડ: દારૂનો જથ્થો મંગાવનાર રાજકોટના શખ્સની શોધખોળ હળવદના ટીકર ગામે ઘરમાંથી 3.94 લાખના સોનાના દાગીના ચોરીના ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે આરોપીની ધરપકડ મોરબીનો પાડાપુલ આજથી રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ, ટ્રાફિકની સમસ્યાને નાથવા પોલીસ ખડેપગે મોરબીના ગાળા ગામના પાટીયા પાસેનો બનાવ: ફૈબાના ઘરે માંડવામાં જતાં ભાણેજના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત મોરબીમાં મહેન્દ્રપરામાં રહેતી પરણીતાને કરિયાવર-ઘરકામ માટે પતિ સહિત 4 સાસરિયાનો ત્રાસ સીઆઇડી ક્રાઇમની ટીમની કાર્યવાહી: વાંકાનેરમાંથી 1900 ગ્રામ ગાંજા સાથે રાજકોટમાં રહેતો રિક્ષા ચાલક પકડાયો મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
Breaking news
Morbi Today

હળવદ તાલુકમાં ચરાડવા પાસે આવેલ કે.ટી. મિલના મજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE













હળવદ તાલુકમાં ચરાડવા પાસે આવેલ કે.ટી. મિલના મજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ કે.ટી. મીલ જે વર્ષ ૨૦૦૦ માં બંધ કરવામાં આવી છે ત્યાં વર્ષો સુધી કામ કરતાં અને રહેતા મજૂરોને આજની તારીખે પણ ન્યાય મળેલ નથી જેથી કરીને મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મજૂરોએ તેની વર્ષો જુની ફરિયાદ કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી આ મિલની કોલોનીમાં રહેતા કામદારને પોતાના હક્ક મળ્યા નથી અને મીલ દ્વારા ખરીદવામાં આવેલ જમીન ઉપર ગેરકાયદે મીલની જમીન પોતાના નામે કરીને કેટલાક શખ્સો તેને ખાલી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે જેથી કરીને મજૂરોને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.






Latest News