મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીના પુનિતનગરમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ૧૨ દિવસથી ગુમ


SHARE







મોરબીના પુનિતનગરમાં રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર ૧૨ દિવસથી ગુમ

મોરબી શહેરના શનાળા રોડે આવેલ સત્યમ પાન વાળી શેરીમાં પુનિતનગર ખાતે રહેતી યુવતી ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને છેલ્લા ૧૨ દિવસથી તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી કરીને આ યુવતીના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં પુનિતનગર ખાતે રહેતા સુનિલભાઈએ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ આપેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી દિવ્યાબેન (૨૦) ગત તા. ૨૨/૧૨/૨૩ ના રાત્રિના સમયે પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ છે અને આજ દિવસ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી કરીને હાલમાં ગુમ થયેલ યુવતીના પિતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે યુવતીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાપડીયા ચલાવી રહ્યા છે

પરિણીતા-બે દીકરીઓ મળી આવ્યા

મોરબીના લાલપર ગામે ગુરુદેવ સોસાયટીમાં રામજી મંદિર પાસે રહેતા અને મૂળ રવાપર ગામના પરેશભાઈ કિશોરભાઈ અગ્રાવત જાતે રામાનંદી સાધુ (૩૭)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપી હતી જેમાં જણાવ્યુ હતું કે, તા. ૨૪/૧૨ ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાંથી તેઓના પત્ની ડોલીબેન પરેશભાઈ અગ્રાવત (૨૬) તેઓની બે દીકરીઓ કિરણ પરેશભાઈ અગ્રાવત (૮) ક્રિષ્ના પરેશભાઈ અગ્રાવત (૩) ની સાથે ગુમ થઈ ગયેલ છે જેથી કૈરને પોલીસે મહિલા અને તેની બે દીકરીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં મહિલા અને તેની બંને દીકરીઓ હેમખેમ મળી આવેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News