મોરબીમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં પકડાયેલા આરોપીના કોર્ટમાંથી રેગ્યુલર જામીન મંજૂર
SHARE
મોરબીમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં પકડાયેલા આરોપીના કોર્ટમાંથી રેગ્યુલર જામીન મંજૂર
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૨૩ માં અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જે આરોપીની જામીન અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના જામીન મંજૂર કરેલ છે
બનાવની ટુંકમાં વિગત એવી છે કે, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને અપહરણ, દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકી રહે. હાલે પીપળી રોડ, હેવન્સ સ્ટેપરાઈઝર, કારખાનાની ઓરડીમાં મોરબી મુળ રહે. નાના જોરાવર પુરા તાલુકો સમી (પાટણ) વાળાની ધરપકડ કરી હતી અને આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશની ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ સમક્ષ સેશન્સ જજ ડી.પી. મહીડા સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેમાં એડવોકેટ મનિષ પી .ઓઝાએ સુપ્રીમ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીને ૨૫,૦૦૦ ના એક જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરેલ છે. આ કેસમાં આરોપી જયેશભાઈ રમેશભાઈ સોલંકીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલ હતા