મોરબીમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં પકડાયેલા આરોપીના કોર્ટમાંથી રેગ્યુલર જામીન મંજૂર
મોરબીના બે ઋષિકુમારો અયોધ્યામાં યોજાનાર શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
SHARE
મોરબીના બે ઋષિકુમારો અયોધ્યામાં યોજાનાર શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે તાજેતરમાં રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધા ૨૦૨૩-૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાની એકમાત્ર શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલયના બે ઋષિકુમારોએ ગોલ્ડ મેડલ મેળવેલ છે અને વિદ્યાલય, સંસ્થા તથા મોરબી જિલ્લાનું નામ રોશન કરેલ છે. આ બંને ઋષિકુમારો આગામી ફેબ્રુઆરી મહિનામાં અયોધ્યા મુકામે અખિલ ભારતીય શાસ્ત્રીય સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તેવું આયોજકો પાસેથી જાણવા મળેલ છે