વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ
Breaking news
Morbi Today

માળીયા (મી) કોર્ટમાં ચાલી ગયેલા દારૂ-બીયરના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







માળીયા (મી) કોર્ટમાં ચાલી ગયેલા દારૂ-બીયરના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો

માળીયા (મી.)ની કોર્ટમાં દારૂ બિયરનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને હાલમાં કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા માટે આદેશ કરેલ છે

બનાવની ટુંકમાં વિગત એવી છે કે માળીયા (મી.) તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૨૧/૧/૨૩ ના રોજ ફરીયાદી નીરવભાઈ માવજીભાઈ મકવાણાએ આરોપીઓ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ પટેલ અને પોપટભાઈ ઉર્ફે રમેશભાઈ બાબુભાઈ નળમળ ની સામે દારૂના જથ્થાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં આરોપીઓએ એક બીજા મળીને ટાટા ટ્રક ગાડીમાં ઈંગ્લીશ બીયર દારૂનો જથ્થો ભરીને ગાડીના માલિકે  ગાડીમાં  મોકલાવ્યો હતો અને પકડાયેલા બંને આરોપીઓ પોતાના હવાલા વાળી ગાડી ટાટા ટ્રક નંબર એમએચ ૦૪ જીસી ૧૭૨૪ વાળી માં પુઠાના સ્કેપની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી લાવી પુઠાના સ્કેપના ઈવે બીલ તથા ઈન્વોઈલ બીલ બનાવી રજૂ કરી ખોટા બીલ હોવાનુ જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને રાજય સેવકને ગેરમાર્ગે દોરી ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ બીયરનો જથ્થો પર પ્રાંતમાંથી આયાત કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની ૯,૫૦,૪૦૦ ની બોટલો તેમજ બીયર ટીન નંગ ૪૩૨૦ જેની કીમત ૪,૩૨,૦૦૦ આમ કુલ મળીને ૧૩,૮૨,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીઓની પરપકડ કરી હતી ત્યારબાદ તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા માળીયા ની કોર્ટમાં જજ એ.કે. સીંધ સાહેબ સમક્ષ કેસ ચાલી જતા આરોપીઓ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ પટેલ અને પોપટભાઈ ઉર્ફે રમેશભાઈ બાબુભાઈ નળમળને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપીના વકીલ તરીકે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા દિપક પી. ઓઝા (એડવોકેટ) રોકાયેલા હતા






Latest News