હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ096 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી) કોર્ટમાં ચાલી ગયેલા દારૂ-બીયરના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE













માળીયા (મી) કોર્ટમાં ચાલી ગયેલા દારૂ-બીયરના કેસમાં બે આરોપીઓનો નિર્દોષ છુટકારો

માળીયા (મી.)ની કોર્ટમાં દારૂ બિયરનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને હાલમાં કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા માટે આદેશ કરેલ છે

બનાવની ટુંકમાં વિગત એવી છે કે માળીયા (મી.) તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૨૧/૧/૨૩ ના રોજ ફરીયાદી નીરવભાઈ માવજીભાઈ મકવાણાએ આરોપીઓ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ પટેલ અને પોપટભાઈ ઉર્ફે રમેશભાઈ બાબુભાઈ નળમળ ની સામે દારૂના જથ્થાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં આરોપીઓએ એક બીજા મળીને ટાટા ટ્રક ગાડીમાં ઈંગ્લીશ બીયર દારૂનો જથ્થો ભરીને ગાડીના માલિકે  ગાડીમાં  મોકલાવ્યો હતો અને પકડાયેલા બંને આરોપીઓ પોતાના હવાલા વાળી ગાડી ટાટા ટ્રક નંબર એમએચ ૦૪ જીસી ૧૭૨૪ વાળી માં પુઠાના સ્કેપની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી લાવી પુઠાના સ્કેપના ઈવે બીલ તથા ઈન્વોઈલ બીલ બનાવી રજૂ કરી ખોટા બીલ હોવાનુ જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને રાજય સેવકને ગેરમાર્ગે દોરી ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ બીયરનો જથ્થો પર પ્રાંતમાંથી આયાત કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની ૯,૫૦,૪૦૦ ની બોટલો તેમજ બીયર ટીન નંગ ૪૩૨૦ જેની કીમત ૪,૩૨,૦૦૦ આમ કુલ મળીને ૧૩,૮૨,૪૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીઓની પરપકડ કરી હતી ત્યારબાદ તપાસ કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા માળીયા ની કોર્ટમાં જજ એ.કે. સીંધ સાહેબ સમક્ષ કેસ ચાલી જતા આરોપીઓ જીગ્નેશભાઈ પ્રવીણભાઈ પટેલ અને પોપટભાઈ ઉર્ફે રમેશભાઈ બાબુભાઈ નળમળને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામે આરોપીના વકીલ તરીકે વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા દિપક પી. ઓઝા (એડવોકેટ) રોકાયેલા હતા






Latest News